વિશ્વની સૌથી મોંઘી કેરી “મિયાઝાકી કેરી”- ખડૂતોને કરોડપતિ બનાવી દેશે આ ફળ, ભાવ 2 લાખ 70 હજાર રૂપિયે કિલો

Rajendra gupta started farming in miyazaki mango: જ્યારે જ્યારે આપણે ફળોની વાત આવે છે, ત્યારે ફળોના રાજા કેરી વિશે તો વધારે ચર્ચા કરવામાં આવે જ…

Rajendra gupta started farming in miyazaki mango: જ્યારે જ્યારે આપણે ફળોની વાત આવે છે, ત્યારે ફળોના રાજા કેરી વિશે તો વધારે ચર્ચા કરવામાં આવે જ છે. આજે આપણે સૂરજપુર જિલ્લાની એક એવી કેરી વિશે વાત કરવી છે જે ખરીદવાનું કોઈ સામાન્ય માણસના હાથમાં નથી. આ કેરી માત્ર ખાસ લોકો જ ખરીદી શકે છે, ખાસ કરતાં પણ અમિર લોકોને(Rajendra gupta started farming in miyazaki mango) જ તે પરવડે છે. કારણ કે આ એક કેરીની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. આ સાથે કેરીનો માલિક એવો ખેડૂતપણ ઘણો ખાસ છે. ફળોમાં કેરીની મજા જ કંઈક અલગ જ છે અને ઉનાળાની સિઝન આવતા જ લોકો કેરી ખરીદવા માટે પહોંચી જાય છે.

સૂરજપુરના કમાલપુર ગામમાં કોલસાના ક્ષેત્રના નિવૃત્ત જનરલ મેનેજર રાજેન્દ્ર ગુપ્તાએ નોકરી પછી એક મોટું શહેર છોડીને ગામમાં ખેતી કરવાનું વિચાર્યું અને નાના ખેતરમાં ફળોના છોડ ઉગાડવાનું શરૂ કરી દીધું છે. કોલસાના ક્ષેત્રમાં તેમને નોકરી દરમિયાન, કોલસાના ઉત્પાદન માટે જંગલો કાપવાનું તેમના પર ભારણ હતું. આવી સ્થિતિમાં, નિવૃત્તિ પછી, તેમણે કમાલપુર ગામમાં ખેતરના નાના ભાગ પર દુર્લભ અને ઘણા વિદેશી કેરીના છોડ વાવ્યા. અને એક સારું કામ કર્યાનો વિચાર પણ આવ્યો.

રાજેન્દ્ર ગુપ્તા મૂળ રૂપે વર્ષ 2017 થી ખેતીમાં જોડાયા હતા અને કેરીની ઘણી વિદેશી અને દુર્લભ પ્રજાતિઓનું વાવેતર પણ શરૂ કર્યું હતું. તે દરમિયાન તેમણે પોતાના ખેતરમાં મિયાઝાકી કેરીના બે છોડ વાવ્યા હતા. આ વર્ષે મિયાઝાકી કેરીના ઝાડ પર ફળ આવ્યું જે વિશ્વની સૌથી મોંઘી કેરી (most expansive mango Miyazaki) તરીકે ઓળખ્યા છે. તસવીરોમાં દેખાતી આ મિયાઝાકી કેરી છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે 1 લાખ 80 હજાર રૂપિયા છે.

Most expansive mango in the world is Miyazaki

આંતરરાષ્ટ્રીય માંર્કેટમાં એક કિલો કેરીની કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા છે. આ દુર્લભ કેરીની કિંમત તેને ખાસ બનાવે છે. વિદેશોમાં આ દુર્લભ કેરી એકબીજાને મોટી ભેટ તરીકે આપવામાં આવે છે. એવી રીતે રાયપુરમાં મેંગો ફેસ્ટિવલ દરમિયાન રાજેન્દ્ર ગુપ્તાએ પણ પોતાની કેરી એક્ઝિબિશનમાં મૂકી હતી, જે બાદ આ ખાસ કેરીને જોવા માટે લોકોમાં ભારે માત્રમાં ઉત્સુકતા જોવા મળી હતી.

રાયપુરમાં આયોજિત મેંગો એક્ઝિબેશનમાં સૂરજપુરની કિંમતી કેરીઓની વધારે ચર્ચામાં આવ્યા પછી, હવે ખેતી વિભાગ પણ રાજેન્દ્ર ગુપ્તાના આંબાના ઝાડની તપાસ કરીને અન્ય ખેડૂતો માટે આર્થિક મજબૂતીનો માર્ગ શોધવાની વાત કરતા જોવા મળ્યા હતા. સૂરજપુરના ગ્રામીણ બાગાયત વિસ્તરણ અધિકારી મંગરુ રામનું કહેવું છે કે રાજેન્દ્ર જીના ખેતરમાંથી વિદેશી કેરીના છોડનું પરીક્ષણ કરવામાં આવશે. જો અદ્યતન ખેતીની શક્યતાઓ જોવામાં આવે તો તે અન્ય ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

દેશની મલ્ટીનેશનલ કંપનીમાંથી જનરલ મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા પછી રાજેન્દ્ર ગુપ્તાએ મોટા શહેરોમાં શાહી પ્રકારનું જીવન છોડીને પોતાની ધરતીમાં ખેડૂત બનવાનું નક્કી કર્યું અને આજે તેઓ 14 એકરમાં હજારો દુર્લભ અને વિદેશી છોડની ખેતી કરીને આર્થિક રીતે સફળ છે. ત્યારથી અદ્યતન ખેતીના ઉપયોગમાં રોકાયેલા. આગામી સમયમાં જિલ્લાના અન્ય ખેડૂતોને પણ આનો લાભ મળશે તેવું તેમનું માનવું છે. રાજેન્દ્ર ગુપ્તાની પત્ની સુશીલા ગુપ્તા પણ તેમના કૃષિ કાર્યમાં તેમને સંપૂર્ણ સહયોગ અને પ્રોત્સાહિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *