એવું તો શું કારણ હશે કે, એક ડોકટરના પુત્રએ ઝેરી દવા પી કરવી પડી આત્મહત્યા- કારણ જાણીને તમે પણ ચોકી જશો

હાલ આત્મહત્યાના વધતા કેસોમાં વધુ એક વ્યક્તિએ ગ્રુહ કંકાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મિત્રો સાથે રહેતા ગોપાલ ભાસ્કરભાઈ પટણી નામના યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત સાથે-સાથે મૃતકના મિત્રોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ગોપાલ એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પ્રાઇવેટ કંપનીમાં તે નોકરી કરતો હતો. આ ઉપરાંત તેના પિતા ડેન્ટિસ્ટ હોવાનું પણ માલૂમ પડ્યું હતું. તેના મિત્રોનું કહેવું છે કે, ગોપાલ ને પૈસા કે કોઈ ચિંતા હતી નહી.

ગયાં શનિવારે રજા હોવાથી ગોપાલ પોતાના રૂમમાં એકલો હતો. જ્યારે અન્ય મિત્રો નોકરી પરથી સીધા પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રે એક મિત્ર ફ્લેટ પર આવ્યો હતો. ત્યારે તેણે રુમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ રૂમનો દરવાજો ન ખોલતાં એપાર્ટમેન્ટના રહેવાસીઓ એકઠા થયા હતા. ત્યારે એકઠા થયેલા લોકોએ રૂમનો દરવાજો તોડ્યો અને જોયું તો ગોપાલ બેભાન હાલતમાં પડયો હતો.

આ દરમિયાન તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં હાજર રહેલા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના આત્મહત્યાની માહિતી મળતા તેના પરિવારના સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. તો બીજી બાજુ યુવાને સુસાઇડ નોટમાં કંકાસથી કંટાળી માનસિક ચિંતાના કારણે આ પગલું ભરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટના રાજકોટમાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *