ચાઈનાને કારણે રામ જન્મભૂમિ અયોધ્યામાં લેવાયો દુઃખદ નિર્ણય

રામજન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટે લદાખની ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. તેની સાથે જ ટ્રસ્ટની આધિકારિક વેબસાઇટ અને ઇમેલને પણ સાર્વજનિક કરવામાં આવ્યા છે. ટ્રસ્ટ તરફથી આ વાતની જાહેરાત પણ કરવામાં આવી છે કે હવે આ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી હવે અધિકૃત હશે.

અયોધ્યામાં રામ જન્મભૂમિના શિલાન્યાસનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. ચીન સાથે સીમા ઉપર હાલની પરિસ્થિતીને જોતા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે. આના પહેલા બે જુલાઈના રોજ રામ મંદિરના શિલાન્યાસની ખબરો સામે આવતી હતી.

ટ્રસ્ટના મહાસચિવ સંપત રાય એ પ્રેસ નોટ માં કહ્યું કે દેશની સુરક્ષા આપણા માટે સૌથી પહેલા છે. 2 જુલાઈ ના રોજ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નો હાલ શુભારંભ નહીં થાય. નિર્માણની તારીખ 10 કાલની પરિસ્થિતિને જોઇને જાહેર કરવામાં આવશે.

પ્રેસ નોટમાં સીમા ઉપર શહીદ થયેલા વીર સપૂતોને શ્રધ્ધાંજલિ આપતા કહેવામાં આવ્યું કે પરમાત્મા તમામ વીર શહીદોને પોતાના ધામમાં સ્થાન આપે સાથે સાથે દુઃખી પરિવારને ધૈર્ય તેમજ આપવાની પ્રાર્થના કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *