અયોધ્યા | રામ મંદિરમાં પ્રથમ રામ નવમીની ઉજવણી, રામલલાની મૂર્તિ પર કરવામાં આવ્યો સૂર્ય તિલક, દૂધાભિષેક અને દિવ્ય શણગાર… જુઓ વિડીયો

Ram Navami 2024: આજે રામ નવમીના તહેવારને લઈને આખા દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખુબ જ ખાસ છે કારણ કે,…

Ram Navami 2024: આજે રામ નવમીના તહેવારને લઈને આખા દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખુબ જ ખાસ છે કારણ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની (Ram Navami 2024) વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. રામલલાને સૂર્ય અભિષેક કરવામાં આવશે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર પણ કરવામાં આવી રહ્યો છે.

ભક્તોની ભારે ભીડ
રામનવમીના દિવસે રામ મંદિરના દ્વાર સવારે 3.30 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે અને રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન પણ કરી શકશે. જેને લઈ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રામલલાનું સૂર્ય તિલક બપોરે 12.16 કલાકે કરવામાં આવશે.

સરયૂ નદીની આરતી કરાઈ
રામલલાના દર્શનને લઈ રામ ભક્તોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ડૂબકી મારી રહ્યા છે. રામ નવમી નિમિત્તે આજે એટલે કે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. ત્યારે અયોધ્યા નગરી જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું છે.

રામધૂનનો રણકારો અયોધ્યા નગરી ખુબ સારી રીતે સંભળાઈ રહ્યો છે. જેને લઈ પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાત્રે જ શ્રદ્ધાળુઓ અયોધ્યા શહેરમાં પહોંચી ગયા હતા અને સવારે સ્નાન કરી પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અહીં સૌપ્રથમ સરયૂ ઘાટ પર સરયૂ આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રામલલાનું સૂર્ય તિલક?
રામમાલાના સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. સૂર્ય તિલક માટે મંદિર ટ્રસ્ટે લગભગ 100 LED લગાવી છે. જ્યારે સરકારે દ્રારા 50 LEDની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના દ્વારા રામ નવમીની ઉજવણી બતાવવામાં આવશે. રામલલાની મૂર્તિના સૂર્ય અભિષેકના દર્શન ખૂબ જ અદ્ભુત હશે.