રિચાર્જ પ્લાનની કિંમતો ફરી વધી શકે છે! કેન્દ્રીય બજેટમાં થઈ આ મોટી જાહેરાત…

Recharge Plan: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 2024-25નું સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટમાં દરેક વર્ગ માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી જે ભવિષ્યમાં મોબાઈલ ફોન યુઝર્સના ખિસ્સા પર બોજ વધારી શકે છે. વાસ્તવમાં બજેટમાં કેન્દ્રીય મંત્રીએ ટેલિકોમ ઈક્વિપમેન્ટ પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝ (PCBA) પર ડ્યૂટીમાં વધારો કરવાની(Recharge Plan) જાહેરાત કરી હતી. જેની સીધી અસર મોબાઈલ યુઝર્સ પર પડી શકે છે.

જુલાઈના શરૂઆતના દિવસોમાં દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ Reliance Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે, ટેલિકોમ ઇક્વિપમેન્ટ પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝ (PCBA) પર ડ્યૂટીમાં વધારો થવાને કારણે, ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે.

5G રોલઆઉટ પર પણ અસર પડી શકે છે

ટેલિકોમ સાધનોની કિંમતોમાં વધારો 5G રોલઆઉટના કામને પણ અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે ટેલિકોમ ઈક્વિપમેન્ટની કિંમતોમાં વધારાને કારણે ટેલિકોમ કંપનીઓએ પહેલા કરતા વધારે ઓપરેશનલ ખર્ચ ચૂકવવો પડી શકે છે અને તેના કારણે ગ્રાહકોને ફરી એકવાર રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારાનો સામનો કરવો પડી શકે છે.

કેન્દ્રીય બજેટમાં ઘણી મોટી જાહેરાતો

PCBAના ભાવમાં વધારો ટેલિકોમ કંપનીઓના નેટવર્ક વિસ્તરણના કામને પણ અસર કરી શકે છે. કિંમતોમાં વધારાને કારણે ટેલિકોમ કંપનીઓ પર પણ નાણાકીય બોજ વધશે. તેની સીધી અસર 5Gના રોલઆઉટ પર જોવા મળી શકે છે. નાણામંત્રીએ સામાન્ય બજેટમાં સ્માર્ટફોનની કિંમતો ઘટાડવા માટે પણ મોટી જાહેરાત કરી હતી. આ સાથે, કેન્દ્રીય બજેટમાં, કંપનીએ લિથિયમ બેટરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. તમે સ્માર્ટફોનની કિંમતોમાં પણ તેની અસર જોશો.