હવે વિદેશ જેમ RTO ના ધક્કાથી મળશે છુટકારો: આ તારીખથી હવે ગાડી લેશો ત્યાં જ લાગી જશે નંબર પ્લેટ

RTO number plate: આવનારી 1 લી જુલાઈ થી તમામ વાહનોના રજીસ્ટ્રેશન થી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાં જ કરવામાં આવશે. જેથી ફ્રી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે, જેને લઈને વડોદરા RTO એ દ્વારા ડીલર્સને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. પ્રથમ તબક્કાની તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં તબક્કાવાર તાલીમ પણ આપવામાં આવશે.

આ અંગેની માહિતી આપતા વડોદરા RTO જે.કે પટેલે જણાવ્યું છે કે,તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં આવેલા સુધારા મુજબ ડીલર શોરૂમ ખાતે જ નંબર ફાળવવામાં આવશે. આ પહેલા RTOમાં જ થી જ વેરિફાઈ અને અપૂર્વની કામગીરી થતી હતી. RTO માંથી નંબર એપોઇન્ટમેન્ટ થતા હતા. જે હવેથી ખુલ્લી બીલ્ટના વાહનો નંબર ડીલર કક્ષાએથી જ વાહનોની ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ ફાળવી દેવામાં આવશે.

અને વધુમાં જણાવ્યું છે કે પહેલા RTO માંથી નંબર ફાળવણી થતી હતી જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે. જેથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે તેમ જ ફુલો બીલ્ડ વાહન ચાલકો અને RTO કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણીની થયા બાદ આરટીઓ માંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફીર અને ટેક્સ ભર્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.

તેમને વધુ ઉમેર્યું હતું કે નંબર ફાળવણીની પ્રક્રિયા ડીલર કક્ષાએથી થવાની હોવાથી તેમને માટે પ્રથમ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવશે.

આ અગાઉ સરકારે વાહનની ડિલિવરી મેળવી લીધા બાદ RTO રજિસ્ટ્રેશન થયા પછી ડીલર્સને ત્યાંથી જ નંબર પ્લેટ ફિટ કરાવવાની પ્રણાલી શરૂ કરી હતી. રાજ્ય સરકાર હવે આ સમગ્ર પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરીને નંબર ફાળવણીની પ્રક્રિયા માટે પણ ડીલર્સને અધિકૃત કર્યાં છે.

કોઈપણ વ્યક્તિ વાહન ખરીદે, ત્યાર પછી નવા વાહનના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે RTO કચેરીમાં ઓનલાઇન મોકલવામાં આવે છે, જેની ખરાઈ થયા બાદ RTO કચેરી એનો નિકાલ કરીને નંબર ફાળવે છે. આ નંબરની એચએસઆરપી તૈયાર કરવા નંબર પ્લેટ કંપનીમાં વાહન ડીલર નંબરની યાદી મોકલી આપે છે. નંબર પ્લેટ તૈયાર થઈને આવે ત્યાર બાદ વાહનમાલિકને જાણ કરાય છે. આ સમગ્ર પ્રોસેસમાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે. પસંદગીના નંબર હોય તો એમાં વધુ સમય જાય છે, પણ હવે આ માટે પણ રાહ જોવી પડશે નહીં.

ખાસ પસંદગીના નંબર માટેની હરાજીમાં ફાળવાઇ ગયેલા નંબર સિવાયના કોઇ નંબર માટે ગ્રાહકની કોઇ પસંદગી હોય તો તે ડીલર્સને ત્યાં કોમ્પ્યુટર સિસ્ટમમાં જ નંબર જોઇ શકાશે. જરૂરી ફી ભર્યાં બાદ એ નંબર તેને મળી રહેશે. જ્યારે પસંદગી સિવાયના નંબર ડીલર્સ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયાથી મેળવી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *