જાણો શા માટે રિયા ચક્રવર્તી સુશાંતના પરિવાર પર કેસ કરશે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ એક નવો વળાંક આવી રહ્યો છે. પહેલા સુશાંતના પિતા કે.કે. સિંઘની ફરિયાદ પર રિયા ચક્રવર્તી સામે કેસ નોંધાયો હતો. જે પછી, હવે આ સમગ્ર મામલાની દિશા બદલાતી હોય તેવું લાગે છે. હકીકતમાં, રિયા ચક્રવર્તીએ હવે સુશાંતના પરિવાર સામે કાનૂની કાર્યવાહીની તૈયારી કરી લીધી છે. રિયાએ દાવો કર્યો છે કે સુશાંતનો પરિવાર તેના ડિપ્રેશનથી વાકેફ હતો. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં ખોટા નિવેદનો નોંધાવ્યા છે.

રિયાના વકીલ સતીષ માનશીંદેએ જણાવ્યું હતું કે ડ્રગ્સના પ્રિસ્ક્રિપ્શન અને બંને બહેનોની ચેટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંતના પરિવારને તેની માનસિક તબિયતની જાણકારી છે. તેઓ એકબીજાને પ્રિસ્ક્રિપ્શનો મોકલી રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટ અને ઇડી સમક્ષ જૂઠ્ઠું બોલ્યા.

માનશીંદે જણાવ્યું હતું કે સુશાંત અંગે ગેરકાયદેસર સલાહ પણ લેવામાં આવી હતી. ધારો કે, ઓનલાઇન પરામર્શ કરવામાં આવે તો પણ, ડોક્ટર ફક્ત તે દર્દીને દવા આપી શકે છે, જેના રોગ વિશે તે પહેલાથી જાણે છે.

રિયા એ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતનાં પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને બહેન મીતુ સિંહનું વોટ્સએપ ચેટ તાજેતરમાં જ સામે આવ્યું હતું. જેમાં શ્રુતિએ મિતુ સિંહ સાથે સુશાંતની તબિયત અને ડોક્ટર વિશે વાત કરી હતી. ઉપરાંત, ડોક્ટર અને તેની દવાઓ વિશે માહિતી માંગવામાં આવી હતી. આ ચેટ 26 નવેમ્બર 2019 ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *