Satyanashi Plant: ઘરની આસપાસ ઘણા ફૂલો હોય છે અથવા ફૂલનો બગીચો પણ હોય છે. તો એમાંથી અમુક ફૂલ એવા હોય છે કે જે ઔષધી માટે ખુબ જ ઉપયોગી (Satyanashi Plant) હોય છે. જેના વિશે આપણે જાણતા નથી. ઘણા ફૂલો એવા હોય છે જેની ઔષધી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમનો એક છોડ છે સત્યાનાશીના છોડ.આ છોડને સ્વર્ણક્ષીરી, કટુપર્ણ, પીળો ધતુરો, સ્યાકાંટા, દારૂડી ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ઘણી બીમારીઓને સારી કરવામાં મદદ કરે છે. આ છોડ મોટા ભાગે નિર્જળ જગ્યા પર ઉગે છે.
શુક્રાણુઓની કમી દૂર કરે છે
લગભગ ઘણા પુરુષ કે પછી સ્ત્રીઓમાં આ એક ભયંકર સમસ્યા હોય છે. આ સમસ્યાનો ખુલાસો ડોક્ટર પાસે પણ કરી શકાતો નથી. જેની અંદર શુક્રાણુઓની કમી ના કારણે સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી. મહિલાઓ અને સ્ત્રીઓના ગુપ્ત રોગમાં સત્યાનાશી ફૂલનો રસ, પાનનો રસ અડધી અડધી ચમચી સવાર સાંજ દૂધ સાથે લેવાથી અનેક ગણો ફાયદોજોવા મળે છે.
ચામડીના રોગો દૂર કરે છે
આ છોડ માં એવા ઘણા બધા ગુણકારી તત્વો રહેલા છે કે જેનાથી ધાધર, ખસ કે ખરજવું જેવા ચામડીના રોગો દૂર થાય છે. તે વાંઝિયાપણું પણ દૂર કરે છે. તમને આ છોડ ભારતમાં દરેક જગ્યાએ મળી રહેશે. તે સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. તેમાં બે પ્રકારના પીળા અને સફેદ ફૂલો હોય છે. આના પાંદડા કાંટાળા હોય છે તેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.
ગરમીમાં ફાયદાકારક નીવડે છે
જે વ્યક્તિને કમળાની અસર હોય તેમણે સત્યનાશીના છોડ નું અડધી ચમચી તેલ કાઢીને શેરડીના રસ સાથે ભેળવીને પીવાથી કમળાના રોગમાં ખૂબ રાહત મળે છે. સત્યનાશી છોડ કમળાના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગરમીના કારણે ઘણા લોકોને મોંમાં ચાંદા પડે છે. આ ચાંદા દૂર કરવા માટે સત્યનાશી છોડની કોમળ દાંડીઓ અને પાનને ચાવીને ખાવા પછી ખાંડ નાખી ને દહીં ખાવું જોઈએ, આ રીતે કરવાથી મોં ના ચાંદામાં રાહત મળે છે.
અસ્થમાની સમસ્યામાં ઉપયોગી
પેટને લગતી કોઈ પણ સમસ્યામાં આ છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આના માટે એક ચમચી સત્યનાશી છોડ નું તેલ અને થોડું સિંધવ મીઠું દરરોજ સવારમાં હુંફાળા પાણી સાથે પીવામાં આવે તો પેટની દરેક સમસ્યામાંથી રાહત મળે છે. અંગોમાં પાણી ભરાઈ જવાની તકલીફમાં આ છોડ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યા રહેતી હોય, તેઓએ આ છોડને ઉકાળીને કાઢો બનાવી લેવો અને પછી આ કાઢો સવાર સાંજ પીવાથી પેશાબ સંબંધિત દરેક સમસ્યામાંથી રાહત મળશે. અસ્થમાની સમસ્યા માટે સત્યનાશીના મૂળિયાનું ચૂર્ણ એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App