સરકારની મોટી જાહેરાત: 15 ઓગસ્ટ નહીં પરંતુ આ તારીખ સુધી નહિ ખુલે કોઈ પણ શાળા-કોલેજ

હાલ કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે બધું જ ઠપ થઇ ગયું હતું. બધા જ લોકો કામ ધંધો મુકીને ઘરે જ બેઠા હતા જેનાથી કોરોનાનું સંક્રમણ…

હાલ કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે બધું જ ઠપ થઇ ગયું હતું. બધા જ લોકો કામ ધંધો મુકીને ઘરે જ બેઠા હતા જેનાથી કોરોનાનું સંક્રમણ ના થાય અને લોકો સ્વસ્થ રહે. હાલના સમયની વાત કરીએ તો અનલોક દરમિયાન ધીમે ધીમે કેટલાય મહિનાઓથી બંધ પહેલા કારખાના અને ધંધા પાછા ખુલ્યા છે. અને લોકો તેમના કામે પાછા લાગ્યા છે. આ સમયમાં શાળા અને કોલેજો ક્યારે ખુલશે તે મોટો સવાલ છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક જાહેરાત કરી હતી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતી 15 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવાની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાતને પગલે હવે શૈક્ષણિક સંસ્થાઓ સ્વતંત્ર પર્વ સુધી ખુલશે નહીં. કોરોના વાઇરસની મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિના સુધી સ્કૂલોને ખોલવામાં નહીં આવે તેવી શક્યતાઓ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલોને ઓક્ટોબર સુધી નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જોકે આ અંગે સરકાર કે મંત્રાલય દ્વારા કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે હાલમાં કોરોના મહામારીના કારણે ઓનલાઇન અભ્યાસ શરૂ કરવાને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો છે. સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને તેની સાથે જોડવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મંત્રાલયે આ પહેલા સ્કૂલો ઓગસ્ટ મહિના સુધીમાં ખોલી નાખવામાં આવશે તેવી વાત કરી હતી.

હાલમાં દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક રાજ્યોમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. આ સિૃથતિ વચ્ચે હવે મંત્રાલયે ઓક્ટોબર મહિના સુધી સ્કૂલો નહીં ખોલવામાં આવે તેવા સંકેતો આપ્યા છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાના રિપોર્ટ છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય અને તેઓને યોગ્ય રીતે ઓનલાઇન શિક્ષણ પણ મળતું રહે તે દિશામાં પણ પ્રયાસો થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે મંત્રાલયે આદેશ જારી કર્યા છે તે મુજબ કેન્દ્રીય વિદ્યાલયોમાં ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન નોટ્સ વગેરે તૈયાર કરવાનું કામ પણ સોપવામાં આવ્યું છે.

હાલમાં દિલ્હીમાં કેસો ઝડપથી વધી રહ્યા છે જેને પગલે હવે દિલ્હીમાં 31મી જુલાઇ સુધી સ્કૂલો ન ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત ઉપ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હી સરકાર વિદ્યાર્થીઓનો જે અભ્યાસક્રમ છે તેમાં 50 ટકાનો ઘટાડો કરવાનું વિચારી રહી છે જેથી વિદ્યાર્થીઓ પરનો ભાર હળવો કરી શકાય. આ સમગ્ર સિૃથતિ અંગે સરકાર વિદ્યાર્થીઓના માતા પિતાને પણ સામેલ કરી રહી છે અને તેમનો પણ અભિપ્રાય લઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *