ગુજરાતમાં સર્જાયો સાવધાન ઇન્ડિયા જેવો કિસ્સો: જંગલમાં પ્રેમી પંખીડાના મળ્યા કંકાલ અને બાજુમાં હતું…

આજકાલ એવા ઘણા કિસ્સા બને છે જે દરેકને ચોકાવનારા હોય છે. આ દરમિયાન અમીરગઢના સોનવાડી નજીક આવેલ જંગલમાં બે કંકાલ મળી આવતા હોબાળો મચી જવા…

આજકાલ એવા ઘણા કિસ્સા બને છે જે દરેકને ચોકાવનારા હોય છે. આ દરમિયાન અમીરગઢના સોનવાડી નજીક આવેલ જંગલમાં બે કંકાલ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. ત્યાના સ્થાનિક લોકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ કંકાલ બે પ્રેમીઓના હતા. હાલ અમીરગઢ પોલીસ દ્વારા આ મૃતકોના કંકાલને રીપોર્ટ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, અમીરગઢ પાસે જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં છે. આ દરમીયાન ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ સોનવાડી પાસેના જંગલમાં બે કંકાલ હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ પણ આ કંકાલ જોઇને ચોકી ઉઠી હતી. આ બંને કંકાલ ઘણા દિવસોથી પડેલા હોવાથી એકદમ હાડપિંજર જેવા હતા. પોલીસ દ્વારા તપાસ કરતા બે પ્રેમી પંખીડા 20 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા અને આ કંકાલ તેમના હોવાનું સામે આવ્યું હતું.

અગાઉ આ બંને પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા હોવાની જાણ તેમના પરિવારજનો દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેથી કંકાલ એ જ પ્રેમીપંખીડાના હોવાની પોલીસને શંક ગઈ હતી. ત્યારબાદ તેમના પરિવારજનોને તાત્કાલિક જાણ કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ બંને કંકાલ પાસે એક પર્સ પણ પડેલું હતું. આ પર્સમાં બંનેની તસ્વીરો પણ હતી. ત્યારબાદ કંકાલ પર રહેલા કપડા પરથી તેમની ઓળખ કરવામાં આવતા બંને કંકાલ ભાગી ગયેલા યુવક યુવતીના હોવાનો ખુલાસો થયો હતો.

પ્રાથમિક તપાસમાં આ અંગે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અમીરગઢ જંગલમાં દીપડા, ઝરખ તેમજ રીંછ જેવા જંગલી પ્રાણીઓ વસવાટ કરતા હોવાથું બંનેને જંગલી પ્રાણીઓએ મારી નાખ્યા હશે. છતાં પણ પોલીસ દ્વારા આ બંને કંકાલને અમીરગઢ સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી વધુ તપાસ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદથી ફોરેન્સિક રીપોર્ટ આવ્યા પછી જાણવા મળશે કે, આ પ્રેમી પંખીડાનું મોત અકસ્માતે થયું છે કે હત્યા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *