ગુજરાતમાં સેંકડો લોકોના જીવ પડીકે બંધાયા: આ જીલ્લામાં પીવાનાં પાણીમાંથી નીકળ્યો સાપનો કણો

ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના કલોલના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મીક્ષ થવાથી કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો. 5 વ્યક્તિઓના આ રોગચાળામાં મોત થયા હતા. આ રોગચાળાનો ભોગ…

ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના કલોલના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મીક્ષ થવાથી કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો. 5 વ્યક્તિઓના આ રોગચાળામાં મોત થયા હતા. આ રોગચાળાનો ભોગ મોટી સંખ્યામાં નગરજનો બન્યા હતા. ત્યારે તંત્રએ લીકેજો શોધી તેનું સમારકામ કરવામાટે દોડતી થઇ હતી. હજુ આ બનાવને થોડો સમય જ થયો છે. ત્યારે પીવાના પાણીમાં સાપના કણા નીકળતા ફરી હોબાળો મચી જવા પામી છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, બુધવારના રોજ સવારે કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ મજુર હાઉસીંગ સોસાયટીમાં પાલીકા દ્વારા અપાતું પીવાનું પાણી લોકો ભરી રહ્યા હતા. ત્યારે પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી સાપના કણા જેવુ દેખાતુ જીવજંતુ આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચવા પામી હતી.

સ્થાનિક લોકોના કહ્યા પ્રમાણે, આ પ્રકારનો બનાવ અન્ય એક સોસાયટીમાં પણ બન્યો હતો. જેને કારણે સ્થાનિકોમાં ફરી રોગચાળો ફેલાય તેવો ફફડાટ ફેલાવા પામ્યો છે. સ્થાનિકોએ આ અંગે કલોલ નગરપાલિકામાં તેમજ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને રજૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *