BJP કેન્દ્રીય મંત્રીએ જન્મદિન નિમીતે ભીડ બોલાવી કર્યો સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ- શું તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે?

મધ્યપ્રદેશમાં ઈન્દોરમાં કેન્દ્રીય મંત્રીના જન્મ દિવસના અવસરે ગરીબોમાં વહેંચવામાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોનાવાયરસના સૌથી વધારે પ્રભાવિત થનાર રાજયોમાં મધ્યપ્રદેશ પણ શામેલ છે.

હકીકતમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના જન્મ દિવસે ભાજપના નેતા અને ઇન્દોરના પૂર્વ ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ ગરીબોમાં રાશન વહેંચવા નો કાર્યક્રમ રાખ્યો. મફતમાં રાશન લેવા માટે બે હજારથી પણ વધારે પરિવારને બોલાવવામાં આવ્યા હતા.

રાશન વહેચવા દરમિયાન જ ખાવાનો સામાન લેવા માટે ભીડ બેકાબુ થઇ ગઈ અને લોકો એક બીજા પર તૂટી પડ્યા. કોરોનાવાયરસ અને સોશ્યલ ડિસ્ટન્સનું ભાન ભૂલી લોકો એકબીજા સાથે ધક્કા-મુક્કી કરવા લાગ્યા. જેનાથી કોઈપણ રીતે રાશન તેઓને મળી જાય.

લોકો ધક્કામુક્કી કરતા રેશનની ગુણો ઉઠાવવામાં લાગી ગયા અને આખા મેદાનમાં અફરાતફરીનો માહોલ બની ગયો. આ ઘટનાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો સુદર્શન ગુપ્તાએ નિવેદન જાહેર કરી તેના માટે માફી માંગી લીધી. હવે જોવાનું એ રહ્યું કે શું સરકાર કે પ્રશાસન તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.આના બદલે જો કોઈ સામાન્ય નાગરિક દ્વારા આવું કામ કરવામાં આવ્યું હોય તો અત્યાર સુધીમાં ઘણી કલમ લગાવી તેને અંદર કરી દેવામાં આવતા હોય છે.

ગુપ્તાએ ભીડ ભેગી થવા અને અવ્યવસ્થા ફેલાવવાની વાતને સ્વીકારતા દુઃખ પ્રગટ કર્યું છે. તેમણે કહ્યું કે અમે લોકોને દૂર બેસાડ્યા હતા અને ટોકન નંબર દ્વારા રેશન આપી રહ્યા હતા. પરંતુ મારા ગયા બાદ અવ્યવસ્થા ફેલાઈ ગઈ. હવે પછી આવી ભૂલ નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *