શહીદ વીર અમર રહો: ભાવનગરના ખોખરા ગામના સપુત શ્રીનગરમાં શહીદ, સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ

Agniveer of Bhavnagar martyred in Srinagar: સરહદ પર દેશની રક્ષા કરી રહેલા ભાવનગરના જવાન શહીદ થયા છે. તેઓ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા. ભાવનગર જિલ્લાના દેવગણા બાદ ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના રહેવાસી અને હાલમાં સેનામાં અગ્નિવીર (Agniveer of Bhavnagar martyred in Srinagar) તરીકે ફરજ બજાવતા જવાન શહીદ થતા સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શહીદ થયેલા જવાનના પાર્થિવદેહને રવિવાર સાંજ સુધીમાં તેના વતન લાવાની સંભાવના છે.

મોટા ખોખરાના જવાન શહીદ
ભાવનગર જિલ્લાના દેવગણાના એક જવાન શહીદ થયા બાદ બીજા કિસ્સામાં મોટા ખોખરા ગામના જવાન શહીદ થવાના બનાવને લઈને જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવતા હતા. શહીદ જવાનના પાર્થિવદેહને રવિવાર સાંજ સુધીમાં તેમના વતન મોટક ખોખરા લાવવામાં આવશે.

6 મહિના પહેલા જ સેનામાં જોડાયા હતા
જયદીપભાઇના કૌટુંબિકભાઈ રોહિતભાઈએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જયદીપભાઈ મોટા હતા અને તેનાથી નાનો કુલદીપ એક ભાઈ છે અને મોટી બે બહેનો છે અને એક બેન નાની છે. તેના પપ્પા ખેતીવાડી કરે છે અને પંચરનીદુકાન ચલાવે છે. સેનામાં જોડાયાના એમને છ મહિના થયા હતા. તેમને આઠથી નવ મહિનાની અગાઉ ટ્રેનિંગ લીધી હતી. હાલ તે શ્રીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા અને તેમને સેનામાં જ જવાની ખૂબ ઈચ્છા હતી. આથી તેમને સેનાની તૈયારી કરી હતી.

તેઓ સંદિગ્ધ હાલતમાં હતા
કલેકટર દ્વારા અપાયેલી માહિતી અનુસાર શ્રીનગર ખાતેના કોમા એર ફિલ્ડ ખાતે પોસ્ટ નંબર 36 ઓલ્ડ એર ફિલ્ડ પર ગોળીબાર સંભળાયો, જ્યારે ચકાસણી કરવામાં આવી તો જયદીપભાઈ  પોસ્ટની દિવાલ પર લોહીના નિશાન સાથે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યાં લોહીલુહાણ હાલતમાં જયદીપભાઇને સારવાર તો આપવામાં આવી પણ 6.55 કલાકે તેઓ શહીદ થયા હતા.