ફરી વિવાદોમાં સપડાયા રામ કથાકાર મોરારી બાપુ! ઉજ્જૈનના મહાકાલની પૂજા બાદ પહેરવેશને લઈને સર્જાયો વિવાદ- પૂજારીઓ થયા નારાજ

Morari Bapu: હાલ મોરારી બાપુ ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધી દર્શન અને પૂજા કરતા ઘણા વિવાદ સર્જાયા છે.અખિલ ભારતીય…

Morari Bapu: હાલ મોરારી બાપુ ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધી દર્શન અને પૂજા કરતા ઘણા વિવાદ સર્જાયા છે.અખિલ ભારતીય પૂજારી(Morari Bapu) મહાસંઘના અધ્યક્ષે આ મામલે વાંધો ઉઠાવ્યો છે.

મોરારી બાપુના કપડાને લઈને વિવાદ 
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પાંચ ઓગસ્ટે એક દિવસથી આરામ કથા કરવામાં આવી હતી તેમાં પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ ઉજ્જૈન પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભા ગૃહમાં જઈને છેલ્લા અભિષેક અને મહાકાલ ની પૂજા કરી હતી. તેને લઈને હવે પૂજારી મહાસંગે એક વાંધો પડ્યો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંગનું કહેવું એવું છે કે મોરારીબાપુએ માથા પર સફેદ કપડું બાંધીને અને સફેદ લુંગી પહેરીને ભગવાન મહાકાળના પ્રવેશ કર્યો હતો. છે મર્યાદાઓને અનુકૂળ નથી અમે તેમનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ આ વાત ધ્યાન પર લાવી રહ્યા છીએ.

ઉજ્જૈનના રાજા છે મહાકાલઃ મહેશ પૂજારી
અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષ મહેશ પૂજારીએ જણાવ્યું છે કે મહાકાલ ઉજ્જૈનના રાજા છે. મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જવા માટે એક અલગ વ્યવસ્થા પણ છે. જે રીતે મસ્જિદોમાં ટોપીનો નિયમ છે, ગુરુદ્વારામાં માથા પર પાઘડીનો નિયમ છે, એવી જ રીતે કોઈ વ્યક્તિ ક્યારેય ગર્ભગૃહમાં મહાકાલની સામે માતા પર કપડા કે પાઘડી બાંધીને જઈ શકતા નથી. ભક્તો માત્ર ધોતી પહેરીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે. બાપુએ સફેદ લુંગી પહેરી હતી અને માથે સફેદ કપડું પણ બાંધ્યું હતું.

આ વસ્તુઓ પર છે પ્રતિબંધ
તેમણે જણાવ્યું છે કે, ગર્ભગૃહમાં કોઈપણ પ્રકારના ચામડા, બેલ્ટ, પર્સ, ટોપી, હથિયાર લઈને પ્રવેશવા પર પ્રતિબંધ છે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના જવાબદાર લોકોએ મોરારી બાપુને મંદિરની આ પરંપરા વિશે જાણ કરવી જોઈતી હતી જેથી તેઓ નિયમોનું પાલન કરે.

મોરારી બાપુએ આપ્યો આ જવાબ
બીજી બાજુ મોરારી બાપુએ આ મામલે કહ્યું છે કે 12 જ્યોતિર્લિંગ યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજીના દર્શન થયા હતા. ત્યાંની પરંપરા મુજબ મેં મંદિરમાં મુંડન કરાવ્યું હતું અને પછી ગુજરાતી પાઘડી પહેરી હતી. મારા દાદા, પિતા અને આગળની પેઢીઓએ આ ગુજરાતી વિશિષ્ટ પાઘડી પહેરી છે. તે સૌરાષ્ટ્રના પરંપરાગત પહેરવેશ તરીકે ઓળખીતું છે.

5 ઓગસ્ટે ઉજ્જૈન પહોંચ્યા હતા મોરારી બાપુ
એવું કહેવાય છે કે મોરારી બાપુ 5 ઓગસ્ટે ઉજ્જૈનમાં મહાકાલ લોક પાસે આવેલા સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથા સંભળાવવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના હજારો અનુયાયીઓ પણ હતા. મોરારી બાપુ તેમની વિશેષ ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચ્યા હતા.

મોરારી બાપુ અધિક શ્રાવણ માસમાં દેશભરના બાર જ્યોતિર્લિંગોમાં રામકથા સંભળાવવા નીકળ્યા છે. બાપુ 12 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. મોરારી બાપુની આ યાત્રા ઋષિકેશથી વિશેષ ટ્રેન દ્વારા શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *