ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો રાજકોટ-અમદાવાદ હાઇવે- નાળામાં બસ ખાબકતા 15 મુસાફરો…

ગુજરાત(Gujarat): રાજકોટ-અમદાવાદ હાઇવે(Rajkot-Ahmedabad Highway) પર એક બસને ગમખ્વાર અકસ્માત(Accident) નડ્યો હતો. આ અકસ્માત બામણબોર(Bamanbor) પાસે સર્જાયો હતો. જ્યાં ખાનગી બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં નાળામાં ખાબકી હતી. ગમખ્વાર અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારના રોજ મુસાફરો ભરેલી બસ બામણબોર નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે તેને ભયાનક અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી.

હાલમાં તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. અકસ્માત અંગેની  જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મુસાફરોમાં બુમાબુમ મચી ગઈ:
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ગીતા મંદિર ખાતેથી રાત્રે જુનાગઢ જવા માટે ઉપડેલી મજદા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ GJ 03W-9872 વહેલી સવારના રોજ સાડા 6 વાગ્યાની આસપાસ બામણબોર પાસે રામપરા બેટીના પુલ નજીક પહોંચી ત્યારે બસ ચાલકે કોઇપણ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પૂલ પરથી નીચે ખાબકી હતી અને મુસાફરોમાં બુમાબુમ મચી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *