વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીનો હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત

સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં પરીક્ષાના દિવસે જ B.EDના સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ…

સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં પરીક્ષાના દિવસે જ B.EDના સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે હાલમાં, સ્ટુડન્ટના આપઘાતનું કારણ જાણવામાં મળી રહ્યું નથી.રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, “જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે જાતે જવાબદાર છું.”

પરીક્ષાના પ્રથમ પેપર પહેલા યુવકનો આપઘાત

હાલમાં સુરત ખાતે નિવાસ પરંતુ મૂળ ભાવનગરનો દીપક બોરિચા(ઉ.વ.22) ઉધના મગદલ્લા રોડ પર આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ચોથા માળે રૂમ નંબર 405 માં રહેતો હતો અને ભગવાન મહાવીર કોલેજમાં B.EDના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે જ B.EDના પ્રથમ વર્ષની પરીક્ષાનું 10.30 વાગ્યે પહેલું પેપર હતું. જો કે, પરીક્ષા પહેલાં જ દીપકે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. હાલમાં, સ્ટુડન્ટના આપઘાતનું કારણ જાણવામાં મળી રહ્યું નથી

રૂમ માંથી સુસાઈડ નોટ મળી આવી

પોલીસે આપઘાત કરનાર સ્ટુડન્ટના રૂમમાં તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે મને કોઈનું દબાણ નથી. જાતે જવાબદાર છું. પોલીસે સુસાઈડ નોટ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *