સુપ્રિમ કોર્ટે લીધો એક ઐતિહાસિક નિર્ણય: પુત્રવધુને મળ્યો વધુ આ એક અધિકાર

સુપ્રીમ કોર્ટે પુત્રવધૂની તરફેણમાં આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પુત્રવધૂ એ તેના પતિના માતાપિતાના એટલે કે…

સુપ્રીમ કોર્ટે પુત્રવધૂની તરફેણમાં આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પુત્રવધૂ એ તેના પતિના માતાપિતાના એટલે કે તેના સાસ-સસુરના ઘરે રહેવાનો અધિકાર છે.” ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશની કમિટીએ ‘તરુણ બત્રા’ મામલામાં બે ન્યાયાધીશની બેંચના નિર્ણયને રદ કર્યો છે.

મહત્વનું છે કે, ‘તરુણ બત્રા’ મામલામાં બે ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે કાયદામાં પુત્રીઓ તેમના પતિના માતાપિતાની સંપત્તિમાં રહી શકતી નથી. હવે ત્રણ સભ્યોની બેંચે ‘તરુણ બત્રા’ના નિર્ણયને ખોટો પડ્યો છે અને 6-7 પ્રશ્નોના જવાબો આપ્યા છે.

કોર્ટે કહ્યું કે, “વહુનો ફક્ત પતિની અલગ સંપત્તિમાં જ નહીં, પરંતુ પતિના મકાનમાં પણ એટલો જ હિસ્સો છે જેટલો પુત્રોનો છે. આમ, અહી ભારત પુત્ર અને પુત્રીને સમાન રીતે ગણવામાં આવે છે એવું જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *