સુરતમાં ગર્ભવતી મહિલા પર પતિ અને બે જેઠ દ્વારા દુષ્કર્મ કર્યાની નોંધાઈ ફરિયાદ

દેશના બળાત્કાર કરવો,એ કોઈ ગુનો નથી પરંતુ હવે લોકોનો સામાન્ય હક બન્યો છે, તેવું હાલમાં બની રહેલી બળાત્કારની ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. દરરોજ બળાત્કારના કેટલા કેસો નોંધાઈ રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. બળાત્કરી ઘટનાને અંજામ આપી ખુલેઆમ ફરી રહ્યા છે. હાલ સુરતમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે.

બિહારના શિવાનના વતની મુન્નાકુમાર વર્માપ્રસાદ યાદવ ઉગતગામમાં પત્ની દયાદેવી (નામ બદલ્યું છે) અને સાત વર્ષની દિકરી સાથે રહે છે. એક માસ પહેલા મુન્નાનો પત્ની દયાદેવી સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મુન્ના પત્ની અને દિકરીને મૂકી ઘરેણા લઇ વતન ચાલ્યો ગયો હતો.

આ દરમિયાનમાં 31 વર્ષની માયાદેવીએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તા.5-7-18ના રોજ પોતે ગર્ભવતી હતી અને આઠ માસનો ગર્ભ હતો. ત્યારે જેઠ અજયકુમાર અને વિજયકુમાર આવ્યા હતા અને તેણી પર બળાત્કાર કર્યો હતો. જ્યારે પતિ મુન્નાએ પણ આ બંને ભાઇઓને મદદ કરી પરિણિતાનું મોઢું દબાવીને રાખ્યું હતું.

આ ઉપરાંત અજયકુમાર અને વિજયકુમારે તેમની સાત વર્ષની દિકરી સાથે પણ છેડતી કરી હતી. આ બનાવ અંગે રાંદેર પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે. તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *