સુરત: લગ્નના 10 વર્ષ પછી જન્મેલાં પુત્ર સાથે બન્યું એવું કે…ઘટના વાંચી તમારા રૂવાડાં બેઠાં થઈ જશે

SuratNews: સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરત સ્કૂલવાન ચાલકે વાહન રિવર્સ લેતા 5 વર્ષીય બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બનાવની જાણ થતાની સાથે જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સિંગણપોર પોલીસે(SuratNews) સ્કૂલવાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, એકનો એક દીકરો ગુમાવતા પરિવારજનો અત્યારે શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા.

વાન રિવર્સ લેતા બાળક કચડાઈ ગયા
ઘટનાની વાત કરવામાં આવે તો, સિંગણપોર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો હતો. આ દરમિયાન શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાન સોસાયટીમાં આવી હતી. વિદ્યાર્થીઓને લઈને સ્કૂલવાન ચાલક સંજય વાન રિવર્સ લેતો સમગ્ર ઘટના બની હતી. આ ઘટના બનતા ત્યા લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સિંગણપોર પોલીસે વાનચાલક સંજય ભગુભાઈ પટેલ (ઉ.વ. 45, રહે. કતારગામ દરવાજા)ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમાં લાગણી
એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમાં લાગણી ફેલાઈ હતી.સિંગણપોર નંદનવન સોસાયટીમાં રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. બનાવના દિવસો તેમનો પુત્ર સોસાયટીમાં રમતો હતો, તે દરમ્યાન વાન ચાલકે તેને અડફેટે લીધો હતો.

લગ્નના 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો
પારસભાઈના 15 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન જીવનના 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો. શ્લોક પરિવારનો એકનો એક દીકરો હતો. તે ખૂબ લાડકો હતો. અકસ્માતમાં શ્લોકનું મોત નિપજતા નારીગરા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરિવારે શ્લોકની આંખો ડોનેટ કરી છે.