શિવરાત્રીના મેળામાંથી પરત ફરી રહેલા ભક્તોને નડ્યો ગમખ્વાર અકસ્માત, એકનું કરુણ મોત, 10 ગંભીર રીતે ઘાયલ

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે વધુ એક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો ચોટીલા હાઈવે(Chotila…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે વધુ એક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો ચોટીલા હાઈવે(Chotila Highway) પર ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો અને તેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 10 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં છે. જૂનાગઢના શિવરાત્રીના મેળામાંથી પાછા ફરી રહેલા લોકોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

મુસાફરોને અમદાવાદ બાજુ લઈને જઈ રહેલી પિકઅપ વાનને કરુણ અકસ્માત નડ્યો હતો. પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જવા પામી હતી. જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પાછા આવી રહેલા લોકોનો અકસ્માત નડ્યો હતો.

આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, જ્યારે 10 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં 10 મુસાફરોને ઈજા પહોંચતા એમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *