પોલીસ જો કંગનાએ કહેલા ચાર વ્યક્તિને બોલાવી પૂછપરછ કરે તો સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ આવશે બહાર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અભિનેત્રી કંગના રાનાઉતે ઘણા મોટા ખુલાસા કર્યા છે. ભૂતકાળમાં કંગનાએ બે વીડિયો જારી કરીને બોલીવુડમાં નેપોટીઝમને પ્રોત્સાહન આપતા બે…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અભિનેત્રી કંગના રાનાઉતે ઘણા મોટા ખુલાસા કર્યા છે. ભૂતકાળમાં કંગનાએ બે વીડિયો જારી કરીને બોલીવુડમાં નેપોટીઝમને પ્રોત્સાહન આપતા બે મૂવી માફિયાઓને નિશાન બનાવ્યા હતા અને હવે ફરી એકવાર ધકડ ગર્લે બોલીવુડમાં એક નવી સનસનાટી મચાવી છે.

તાજેતરમાં જ કંગના રાનાઉતે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મોટો દાવો કર્યો છે કે, મુંબઈ પોલીસે તેમની તપાસમાં ચાર લોકોની હજુ સુધી પૂછપરછ કરી નથી, જેઓ આ કેસ સાથે સંબંધિત છે. આ સાથે કંગનાએ એવો દાવો પણ કર્યો છે કે જો તેણીના નિવેદનો સાબિત કરવામાં અસમર્થ હોય તો તેણી પોતાનો ‘પદ્મશ્રી એવોર્ડ’ પાછો આપશે.

ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં કંગનાએ જણાવ્યું હતું કે સુશાંત કેસની તપાસ કરી રહેલા અધિકારીને તેણે કહ્યું હતું કે, તેમને સમન્સ મોકલો.

કંગનાએ તેના ઇન્ટરવ્યુમાં ઉદ્યોગના ચાર જાણીતા લોકોના નામ આપ્યા છે અને પૂછ્યું છે કે મુંબઈ પોલીસે હજી સુધી તે ચાર લોકોને સમન્સ કેમ નથી મોકલ્યું? ઉદ્યોગના તે ચાર લોકો છે “ફિલ્મ નિર્માતા કરણ જોહર, યશ રાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપડા, નિર્દેશક મહેશ ભટ્ટ અને ફિલ્મ વિવેચક રાજીવ મસંદ”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *