હવસખોર તાંત્રિકે વિધવા મહિલાને કહ્યું- ‘તારો પતી મારા શરીરમાં આવે છે!’ અને પછી…

ગુજરાતના (Gujarat) છોટાઉદેપુરથી (Chhotaudepur) વિધવા મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે. અવારનવાર અંધશ્રદ્ધાના નામે આવા…

ગુજરાતના (Gujarat) છોટાઉદેપુરથી (Chhotaudepur) વિધવા મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે. અવારનવાર અંધશ્રદ્ધાના નામે આવા ધંધા કરનારા તાંત્રિકોના બનાવો સામે આવ્યા છે, ત્યારે ફરીએક વાર આવો બનાવ સામે આવતા લોકોમાં એરાટેટી મચી છે.

ખરેખર સંખેડામાં રહેતું એક કપલ મંદિરે જતું હતું. આ દરમિયાન કપલ એક તાંત્રિકના સંપર્કમાં આવ્યું અને તેમના પારિવારિક સંબંધો બની ગયા. ગયા વર્ષે મહિલાના પતિનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આમ છતાં તાંત્રિક તેના ઘરે આવતો રહ્યો. આ દરમિયાન પીડિતાને બિલકુલ લાગ્યું નહીં કે તાંત્રિકની તેના પર ખરાબ નજર છે. જાણવા મળ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી હતી.

ત્યારબાદ તાંત્રિકને આ વાતની જાણ થતાં જ તેણે મહિલાને તેના ઘરે આવવા કહ્યું કે, તું મારા ઘરના ઉપરના માળે રહેજે જેથી પરિવારના અન્ય સભ્યોને કોરોનાનો ચેપ ન લાગે. મહિલાએ તાંત્રિકની વાત માની અને તેના ઘરે રહેવા આવી અને તાંત્રિકે તેને તેના ઘરના ઉપરના માળે ક્વોરેન્ટાઈન કરી. આ તકનો લાભ લઈને આરોપી તાંત્રિક મહિલાના રૂમમાં ઘુસી ગયો અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. આરોપી તાંત્રિકે મહિલાને કહ્યું, તેના પતિનો આત્મા તેનામાં આવે છે. તે મહિલાના લગ્ન થયેલા હોવા છતાં પણ આ તાંત્રિકે તેને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું.

પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે જ સમયે, આ મામલે પોલીસનું કહેવું છે કે આરોપી એક મંદિરમાં પૂજારી છે અને તાંત્રિકનું કામ પણ કરે છે. તેણે મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન પીડિતાએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ પીડિતાએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *