1800 કરોડમાં પૂરું થયું આ હિંદુ મંદિર- તસ્વીરો દ્વારા કરો ‘દિવ્ય મંદિર’ના દર્શન

તેલંગાણા(Telangana)માં શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી(Shri Lakshmi Narasimha Swami) મંદિર(Temple)ના પુનઃનિર્માણ પછી, તેનું ઉદ્ઘાટન આજે 28 માર્ચેનાં રોજ થવાનું છે. પુનઃનિર્માણના કારણે આ મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબર(October)માં, કેસીઆરના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જેઅર સ્વામીએ જીર્ણોદ્ધાર કરાયેલ મંદિરને ફરીથી ખોલવાનો મુહૂર્ત નક્કી કર્યું હતું. મંદિરને ભક્તો માટે ફરીથી ખોલવામાં આવે તે પહેલાં એક યજ્ઞ પણ કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ(Chief Minister K. Chandrasekhar Rao) પણ હાજરી આપશે.

શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના પુનઃનિર્માણ પર લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરનું પુનર્નિર્માણએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. સીએમ કે ચંદ્રશેખર રાવના ડ્રીમ પ્રોજેક્ટના લોન્ચિંગ પહેલા મંદિરમાં ઋત્વિકો વતી ‘મહા સુદર્શન યજ્ઞ’ પણ કરવામાં આવશે. આ પહેલા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, આ યજ્ઞ સો એકર યજ્ઞ વાટિકામાં 1048 યજ્ઞ કુંડળો સાથે કરવામાં આવશે.

આ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી હતી કે હજારો ઋત્વિકો અને ત્રણ હજાર સહાયકો ભગવાનને પ્રસન્ન કરવા અનુષ્ઠાન કરશે. અગાઉ મંદિરના ઉદ્ઘાટન માટે યજ્ઞમાં મુખ્ય મંત્રીઓ, રાજ્યપાલો, પ્રધાનો અને હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોના સંતોને આમંત્રિત કરવાનું આયોજન હતું. જયારે આ કામ રોગચાળાને કારણે કરવામાં આવ્યું ન હતું. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમમાં બહુ ઓછા VIP હાજર રહેશે. એવી પણ શક્યતા છે કે ચંદ્રશેખર રાવના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જયાર સ્વામી પણ સમારોહમાં હાજરી આપે નહીં.

યાદદ્રી ખાતે આવેલ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર હૈદરાબાદથી લગભગ 80 કિમી દૂર છે. મંદિર પરિસર 14.5 એકરમાં ફેલાયેલું છે. વર્ષ 2016માં આ મંદિરના પુનઃનિર્માણનું કામ શરૂ થયું જેના માટે લગભગ 1600 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર ટાઉનશિપ પ્રોજેક્ટ 2500 એકરમાં ફેલાયેલો છે. પ્રખ્યાત ફિલ્મ સેટ ડિઝાઇનર આનંદ સાંઇ દ્વારા આ મંદિરની ડિઝાઇન તૈયાર કરાવવામાં આવી છે. આ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પેમ્બાર્થી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે. મંદિરના ગર્ભગૃહનો મુખ્ય પ્રવેશદ્વાર સોનાથી સુશોભિત છે. મંદિરમાં તંજોર શૈલીની પેઇન્ટિંગ પણ સ્થાપિત કરવામાં આવી છે.

આ મંદિરના ગોપુરમને 125 કિલો સોનાથી જડવામાં આવ્યો છે. જે સીએમ કેસીઆર, તેમના કેબિનેટ સાથીદારો અને કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા મંદિરને દાનમાં આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેસીઆરે તેમના પરિવારવતી મંદિરમાં 1116 ગ્રામ સોનું દાન કર્યું છે. તેમજ હૈદરાબાદ સ્થિત MNC મેઘા એન્જિનિયરિંગે 6 કિલો સોનું આપવાની જાહેરાત કરી છે. હીટેરો ફાર્માના માલિકો દ્વારા 5 કિલો સોનું દાનની જાહેરાત પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *