‘મંદિર ખાલી કરો નહીંતર કનૈયાની જેમ ગળું કાપી નાખીશ’- ધમકીભર્યા પત્રથી રાજ્યમાં મચ્યો હડકંપ

રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur) જિલ્લાના MSJ કોલેજ પરિસરમાં બનેલા મંદિરના પૂજારીને ધમકીઓ મળી છે. મંદિરમાંથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે જો તે મંદિર નહીં છોડે તો 10 દિવસમાં તેનું માથું કાપી નાખવામાં આવશે. મંદિરના પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

આ પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તેમની વાતનું પાલન નહીં કરવામાં આવે તો પુજારીને પરિણામ ભોગવવા પડશે. જે બાદ જિલ્લાના હિન્દુવાદી સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલાના ખુલાસા બાદ લોકોનું કહેવું છે કે જો ગુનેગારોને જલ્દી પકડવામાં નહીં આવે તો ભરતપુરમાં પણ ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે.

ઉદયપુરની ઘટનાનો ઉલ્લેખ કરીને ધમકી આપી હતી:
કોલેજમાં બનેલા મંદિરના પૂજારીને આ રીતે જાહેરમાં ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. તો ત્યાર બાદ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આ મામલે કોલેજના ગેટને તાળા મારીને સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓએ કહ્યું, “પોલીસે આ પત્ર ચોંટાડનારાઓ સુધી પહોંચીને વહેલી તકે મામલો જાહેર કરવો જોઈએ.” આ પત્રમાં જ્યારે ઉદયપુરની ઘટનાને ટાંકીને ધમકીઓ આપવામાં આવી હતી ત્યારે આ મામલો પણ આખા શહેરમાં વાયરલ થયો હતો.

પોલીસ તપાસ હાથ ધરાઈ:
ફરિયાદ મળ્યા બાદ હવે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમે મંદિર પર અટકેલા આ પત્રને હટાવીને મામલાની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સંશોધન બાદ જ આ મામલે કંઈ કહેવું યોગ્ય રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *