પ્રખ્યાત કાપડના વેપારીએ પત્નીની હત્યા કરી, પોતે પણ કર્યો આપઘાત- સુસાઇડ નોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લખતા કહ્યું…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના પન્ના(Panna)માં કપડાના એક મોટા વેપારીએ કથિત રીતે પહેલા તેની પત્નીની ગોળી મારીને હત્યા(Murder) કરી નાખી. પછી પોતાને જ ગોળી મારીને આપઘાત કરી લીધો. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, મૃતક સંજય સેઠ બાગેશ્વર ધામ(Bageshwar Dham) સરકારના ભક્ત હતા. તેણે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ગુરુજી(ધીરેન્દ્ર શાસ્ત્રી) મને માફ કરો. હવે જન્મ મળે તો તમારા પાક્કા ભક્ત તરીકે જ મળે.

આપઘાત પહેલા મૃતક સંજય શેઠે પોતાનો એક વિડીયો પણ બનાવ્યો છે. આમાં તે રડી રહ્યા છે અને એવા લોકોના નામ લઈ રહ્યા છે જેમણે લોન ચૂકવી નથી. વિડીયોમાં સંજય કહી રહ્યો છે કે, ‘મારા બાળકો માટે મારા પૈસા પરત કરો. મારી દીકરીના લગ્ન 50 લાખથી 1 કરોડમાં કરવામાં આવે. મારી દીકરીના ખાતામાં પૈસા છે. 29 લાખ લોકરમાં રાખવામાં આવ્યા છે. હું અને મારી પત્ની બંને જઈએ છીએ. હવે જીવી શકાય તેમ નથી. દીકરી માટે ઘણા દાગીના છે. મારા બાળકો મને માફ કરજો.’

એક રિપોર્ટ અનુસાર, સંજય સેઠ તેની પત્ની મીનુ સાથે કિશોરગંજ વિસ્તારમાં રહેતા હતા. ઘટના સમયે સંજય અને મીનુ બંને ઘરના બીજા માળે રૂમમાં હતા. ગોળીનો અવાજ સાંભળીને પરિવારના અન્ય સભ્યો ઉપરના માળે પહોંચ્યા ત્યાં સુધીમાં મીનુનું મોત થઈ ગયું હતું. જોકે, સંજયના શ્વાસ ચાલતા હતા. હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ સંજયનું મોત થઈ ગયું હતું.

આ મામલામાં પન્ના એસપી ધર્મરાજ મીનાએ જણાવ્યું કે, વેપારી સંજય સેઠે સાંઈ મંદિર પાસે આપઘાત કરી લીધો છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ મામલે અમારી તપાસ ચાલી રહી છે. હાલમાં કોઈ બહારની વ્યક્તિ હત્યા કે આપઘાત માટે પ્રેરિત હોવાની શંકા નથી. એ રૂમમાં માત્ર પતિ-પત્ની જ હતા અને કોઈ આવ્યું ન હતું. પરંતુ હજુ પણ અમે તમામ એંગલથી મામલાની તપાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *