ખંભાળિયાના આ ગામે મધરાત્રે સાક્ષાત દશામાએ ભક્તોને ચંદ્રમાં આપ્યા દિવ્ય દર્શન

\શ્રદ્ધા, વિશ્વાસ જ્યાં હોય છે ત્યાં ભગવાન ચોક્સતાથી સાક્ષાત પોતાના ભક્તોને દર્શન આપે છે. એટલું જ નહીં, ભક્તોની મનોકામના પણ પરિપૂર્ણ કરે છે. આવો જ…

\શ્રદ્ધા, વિશ્વાસ જ્યાં હોય છે ત્યાં ભગવાન ચોક્સતાથી સાક્ષાત પોતાના ભક્તોને દર્શન આપે છે. એટલું જ નહીં, ભક્તોની મનોકામના પણ પરિપૂર્ણ કરે છે. આવો જ એક ચમત્કાર જામ ખંભાળિયા ભરાણા, વાડીનાર સહિતના ગામડાઓમાં જોવા મળ્યો છે. જ્યાં રાત્રિના 10.30 વાગ્યા પછી 2 દિવસ પહેલા ચંદ્રમા મા દશામાના સાક્ષાત દર્શન થયા છે. જેમના દર્શન કરી ગામના લોકો ધન્ય બની ગયા છે.

મળતી માહિતીએ અનુસાર, દરેક વ્યક્તિઓએ પોતપોતાના મોબાઈલમાં ફોટો કે વિડીયો લીધા હતા. આ ઘટના હકીકતમાં ઘટી હોવાનું ફોટો શેર કરનાર લોકો જણાવી રહ્યા છે. લોકોએ આ ચમત્કાર જોતાં જ ફોટા અથવા વિડીયો મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. આખુ ગામ દશામાની ભક્તિ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરાણા ગામમાં દરેક ઘરમાંથી મહિલાઓ દશામાનું વ્રત કરે છે.

દશાનાના વ્રતની ઉજવણીનો છેલ્લો દિવસ હતો, ત્યારે ઉજવણી પહેલા જ આ રીતે ચમત્કાર થયો હોવાનું ગામ લોકો માની રહ્યા છે. ફોટો જોતજોતામાં વાયરલ થઇ જતા આખું ગામ મા દશામાની ભક્તિમાં લીન થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *