પત્નીએ પોતાના જ પતિને લાકડાના ડંડા મારીને કરી હત્યા, કારણ હતું ચોકાવનારું

કપડવંજ(ગુજરાત): આજકાલ પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝગડતો થતા જ હોય છે. પરંતુ ક્યારેક આ ઝગડા હત્યા સુધી પણ પહોચી જતા હોય છે. આવો જ એક કિસ્સો કપડવંજના સુલતાનપુરામાં પત્નીએ જ પતિની હત્યા કરી નાખતાં હોબાળો મચી જવા પામ્યો છે. કામની બાબતે અને ચારિત્ર્ય પર શંકાના મુદ્દે થયેલી તકરારોએ પતિનો ભોગ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે કપડવંજ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર, કપડવંજ તાલુકાના સુલતાનપુરા ગામમાં રહેતા મુકેશભાઈ શનાભાઈ પરમારના દોઢ વર્ષ પહેલાં હિના સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે ઘરનાં કામકાજ બાબતે વારંવાર ઝઘડા થતા રહેતા હતા. આ ઉપરાંત, મુકેશ પોતાની પત્ની હિનાના ચારિત્ર્ય પર શંકા પણ કરતો હતો જેથી એ બાબતે પણ બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

આ દરમિયાન, ગઈકાલે હિનાએ તેના પતિ મુકેશભાઈ સાથે ઝગડો કર્યો હતો અને માથામાં તથા કાન પર દંડાથી માર માર્યો હતો જેથી તેમણે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે રસિકભાઈ મોહનભાઈ પરમારે કરેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, પતિ સાથેની તાક્રામાં પત્નીએ લાકડાના દંડા વડે પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માથાના ભાગે અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા પત્નીએ નજીકમાં એક ખાડો ખોદી નાખ્યો હતો. પરંતુ, આ દરમિયાન આસપાસના લોકોને શંકા જતા ઘરમાં તપાસ કરવામાં આવી હતી અને બાદમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *