મૃત્યુના થોડા જ સમયમાં પાછા જીવતા થયા 96 વર્ષના દાદા- અંતિમ સંસ્કાર થવાના જ હતા ત્યાં…

મધ્યપ્રદેશ: એમપીના છતરપુર જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 96 વર્ષના વૃદ્ધના મૃત્યુ બાદ તે અચાનક જીવંત થયો અને કહ્યું કે, હું હજી…

મધ્યપ્રદેશ: એમપીના છતરપુર જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 96 વર્ષના વૃદ્ધના મૃત્યુ બાદ તે અચાનક જીવંત થયો અને કહ્યું કે, હું હજી જીવીત છું. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ લવકુશ નગરના ચાંદલા રોડ સિંચાઈ કોલોનીમાં રહેતા એક 96 વર્ષીય મનસુખ કુશવાહા સાથે બની છે.

મનસુખને મૃત સમજીને અંતિમ સંસ્કાર સમયે હિન્દુ વૈદિક વિધિ અનુસાર પરિવારજનોએ ગાય પૂજન કરાવીને અંતિમ સંસ્કારમાં શામિલ કરવા માટે રિશ્તેદારને બોલાવી લેવામાં આવ્યા હતા. સંબંધીઓ પણ માહિતી મળતા ઘરે પહોંચ્યા હતા પરંતુ આ દરમિયાન આ વૃદ્ધ બોલ્યા અને કહ્યું કે, હું હજી જીવંત છું. મનસુખના મૃત્યુ પર જ્યાં પરિવારના સભ્યો શોક વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓ રોના ધોના મુકીને ઘરે પહોંચી ગયા હતા. વૃદ્ધોની હાલત જાણીને બધા સંબંધીઓ તેમના ઘરે પરત ફર્યા હતા. આ ઘટના મંગળવારની છે.

મનસુખ કુશવાહાની તબિયત છેલ્લા બે વર્ષથી ખરાબ છે. વૃદ્ધના પગ તૂટી જવાને કારણે તે ચાલી શકતા ન હતા. નાનો પુત્ર રામ કૃપાલ કુશવાહા અને તેનો પરિવાર વૃદ્ધાવસ્થામાં સહારો છે. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે જબલપુરમાં ચાલી રહેલી પગની સારવાર હાલમાં બંધ છે. પરિવારે કહ્યું કે, ક્યારેક ખોરાક તો ક્યારેક પાણીના સહારે છે. વૃદ્ધોનાં પરિવારનું કહેવું છે કે, મનસુખ કુશવાહ વય 96 વર્ષની થયા પહેલા થોડા સમયથી તબીયત વધારે ખરાબ હોવાને કારણે તે નબળાઈ અનુભવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *