ભુપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય- ગણેશોત્સવને લઈને મળી આ પરવાનગી, ભક્તો થઈ જશે ખુશ-ખુશાલ

ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર દ્વારા આ વખતે ગણેશોત્સવ(Ganeshotsav)ને લઈને લોકોની શ્રદ્વાને ધ્યાને રાખીને મહત્વનો અને મોટો નિર્ણય(Big decision) લેવામાં આવ્યોછે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગણેશજીની…

ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર દ્વારા આ વખતે ગણેશોત્સવ(Ganeshotsav)ને લઈને લોકોની શ્રદ્વાને ધ્યાને રાખીને મહત્વનો અને મોટો નિર્ણય(Big decision) લેવામાં આવ્યોછે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. સાથે જ સાર્વજનિક સ્થળો પર ગણેશની સ્થાપના કરવા પર પણ સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

લોકોની શ્રદ્વાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાની સ્થિતિને લઇ રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણો લગાવવામાં આવ્યાં હતાં. જો કે, હાલ કોરોનાના કેસો ઓછો થતાં રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યા છે. જો કે, મૂર્તિ બનાવવા અને વિસર્જન કરવા સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન ફરીજીયાત પણે કરવું પડશે. સાથે સાથે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પણ પાલન કરવું અનિવાર્ય રહેશે.

આ ઉપરાંત, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત કરવામાં આવી હતી. કોરોનાને લગતા તમામ નિયંત્રણો તારીખ 31 માર્ચ-2022 પછી અમલમાં નથી.

જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં રાખવામાં આવશે નહિ. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનો અને તમામ નિયમોનનું પણ પાલન કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *