સુરતના આ વિસ્તારના બંધ મકાન માંથી ઉંદરડા કોતરી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા મચ્યો ચકચાર

સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat)ના પાંડેસરા(Pandesara) વિસ્તારમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમનગર(Premnagar)ના એક બંધ મકાનમાંથી શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉંદરડા કરડી…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat)ના પાંડેસરા(Pandesara) વિસ્તારમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમનગર(Premnagar)ના એક બંધ મકાનમાંથી શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉંદરડા કરડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા ઉઠી હતી. જાણવા મળ્યું છે કે, મૃતક યુવક મિલમાં મજૂરીકામ કરતો હતો અને ભાડાની રૂમમાં રહેતો હતો. ત્રણ દિવસથી ઘરમાં બંધ શિવમંગલ રામ મનોહર(Shivmangal Ram Manohar)નું કુદરતી મોત થયું કે આપઘાત તે અંગે જાણવા હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ(Postmortem) કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

રૂમ પાર્ટનરને 3 દિવસે જાણ થઈ
આ અંગે સુનિલ સરોજે જણાવ્યું હતું કે, ઘટનાના ત્રણ દિવસથી હું બહારગામ હતો. આજે સવારે ઘરે આવ્યા બાદ દરવાજો ખોલ્યો તો મિત્ર શિવ મંગલના શરીર પર ઉંદરડા કોતરી રહ્યા હતાં. આ જોઈ હું હેબતાઈ ગયો હતો. જેથી બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, શિવ મંગલનું મૃત્યુ થયું છે. શિવ મંગલ દારૂ અને ગાંજો પીવાનો વ્યસની હોવાનું પણ સામે આવ્યું છે.

મોતનું કારણ જાણવા પીએમ થશે
શિવ મંગલના મૃતદેહ પરથી ઉંદરડા કરડવાના નિશાન મળી આવ્યા છે. આ ઘટના બાબતે પાંડેસરા પોલીસને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા પેપર વર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *