આજે હનુમાન જયંતી પર 12 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે દુર્લભ સંયોગ; આ 3 રાશિના ચમકી ઉઠશે ભાગ્ય

Hanuman Jayanti 2024: દેવતાઓના ગૃહસ્પતિ 1 મે 2024 અને શુક્રવારે વૃષભ રાશિમાં ગોચર કરશે. દેવગુરુ બૃહસ્પતિ શુક્રવારે બપોરે 2 કલાક અને 29 મિનિટે શુક્રની રાશિમાં…

Hanuman Jayanti 2024: દેવતાઓના ગૃહસ્પતિ 1 મે 2024 અને શુક્રવારે વૃષભ રાશિમાં ગોચર કરશે. દેવગુરુ બૃહસ્પતિ શુક્રવારે બપોરે 2 કલાક અને 29 મિનિટે શુક્રની રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, વિવાહ, સંતાન અને ઐશ્વર્ય આપનાર ગ્રહ માનવામાં(Hanuman Jayanti 2024) આવે છે. તેવામાં વૃષભ રાશિમાં ગુરુનું ગોચર કેટલીક રાશિના લોકોના જીવનમાં અપાર સફળતા અને ધન લાવશે. તો ચાલો તમને જણાવીએ મે મહિનામાં કઈ રાશિના જાતકો ધનવાન બનશે.

મેષ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિના નવમા અને બારમા ભાવનો સ્વામી ગ્રહ છે. તેવામાં ગુરુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે પ્રગતિના રસ્તા ખોલી દેશે. આ રાશિના લોકોને નોકરીમાં સફળતા મળશે. આવકમાં અને બચતમાં વધારો જોવા મળશે. સંતાન કે લગ્ન સંબંધિત સમસ્યા પણ દૂર થઈ શકે છે. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.

વૃષભ રાશિ
દેવગુરુ ગૃહસ્પતિ વૃષભ રાશિના 8 અને 11 માં ભાવનો સ્વામી છે. વૃષભ રાશિમાં જ ગુરુ ગ્રહ ગોચર કરશે તેથી આ રાશિના નોકરી કરતા લોકોને અપાર સફળતાઓ પ્રાપ્ત થશે. કારકિર્દીમાં ચાલતી સમસ્યાઓ દૂર થશે. આ સમય દરમિયાન સાહસ વધશે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ મજબૂત થશે. આ સમય દરમિયાન ધનની આવક વધશે.

મિથુન રાશિ
વૃષભ રાશિમાં ગુરુનું ગોચર મિથુન રાશિના લોકોના જીવન પર પણ સકારાત્મક પ્રભાવ પાડશે. કારકિર્દીમાં આવેલી સમસ્યાઓમાંથી સરળતાથી બહાર આવી શકશો. ઓફિસમાં સિનિયર અધિકારીઓની નજરમાં માન સન્માન વધશે. અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં જે સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ જશે. પાર્ટનરનો સાથ મળશે.

મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગુરુ પોતે છે. આ રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળશે, જે તેમને રાહત આપશે. લવ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. તમે ધાર્મિક કાર્યોમાં પૈસા ખર્ચી શકો છો.