દેવભૂમિ દ્વારકાના જગત મંદિરના દ્વાર ભકતો માટે આ તારીખ સુધી રહેશે બંધ

કોરોના મહામારી દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક લોકો કોરોના ની ઝપટે ચડ્યા હતા આથી દ્વારકા વહીવટી તંત્ર અને દેવસ્થાન સમિતિ દ્વારા દર્શનાર્થીઓના હિતમા તાબડતોબ નિર્ણય લઈ 12 એપ્રિલ થી જગત મંદિર બંધ કરવા અંગે નિર્ણય લેવાયો હતો.વર્તમાન સમયમાં કોરોના વાયરસ ના કેસો ઘટતા હોવા છતાં સાવચેતી ના ભાગરૂપે 10 જૂન સુધી જગત મંદિર ના દ્વાર ભકતો માટે બંધ રાખવા નિર્ણય કરાયો છે.

કોરોના ની જીવલેણ અને ઘાતક બીજી લહેર માં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. જેની ગંભીરતાને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા વહીવટીતંત્ર તથા દેવસ્થાન સમિતિ દ્વારા 12 એપ્રિલ થી સુપ્રસિદ્ધ જગત મંદિરના દ્વાર ભકતો માટે બંધ કરવામાં આવ્યા છે.

હાલ ની સ્થિતિએ કોરોનાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો નોંધાયો છે. જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. મંદિરમાં દર્શનાર્થીઓના પ્રવેશ પરના પ્રતિબંધની અવધિ વધારી છે. આગામી 10 જૂન સુધી જગત મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મંદિરના પૂજારી પરિવાર દ્વારા ભોગ – આરતી સહિતના કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. આ તમામ કાર્યક્રમ નું મંદિર વેબસાઈટ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.જેથી ભકતો ઘરે બેઠા પણ સોશિયલ મીડિયા મારફતે તમામ આરતી અને ભોગ સહિત ના પૂજનવિધિ ના કાર્યક્રમના દર્શન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *