જુઓ કેવી રીતે સુરતના વરાછા વિસ્તારમાં લુંટેરી દુલ્હને લગ્નનું નાટક કરી લુંટી લીધા લાખોના દાગીના

આપણે સૌ અવારનવાર કોઈ વેપારી સાથે ઠગાઈ થઇ હોત તેવા કિસ્સાઓ સાંભળતા હશું અથવા તો કોઈ પણ માધ્યમ દ્વારા તેમના વિશેની માહિતી મેળવતા હશું. જેમાં…

આપણે સૌ અવારનવાર કોઈ વેપારી સાથે ઠગાઈ થઇ હોત તેવા કિસ્સાઓ સાંભળતા હશું અથવા તો કોઈ પણ માધ્યમ દ્વારા તેમના વિશેની માહિતી મેળવતા હશું. જેમાં કોઈ વખત હીરાના વેપારી સાથે ઠગાઈ થાય છે તો ક્યારે સોનાના વેપારી સાથે ઠગાઈ થાય છે. તો કોઈ પણ વેપારી સાથે ઠગાઈનો કિસ્સો બને છે. પણ અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ તે અલગ જ કિસ્સો છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

હાલમાં એક એવો કિસ્સો પોલીસ દફ્તરે નોધાયો છે જેમાં એક યુવાન સાથે લગ્નના નામે નાટક કરીને એક યુવતી સુરતના વરાછા વિસ્તારમાંથી વેપારી સાથે ઠગાઈ થઇ હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી લુંટેરી દુલ્હને મુંબઈના એક વેપારી સાથે ઠગાઈ કરી છે. મળતી માહિતી અનુસાર દુલ્હને મંદિરની અંદર મુંબઈના વેપારી સાથે લગ્નનું નાટક કરીને રોકડ રૂપિયા અને 1.65 લાખ સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઇ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, જયારે યુવક અને યુવતીના લગ્ન થયા ત્યારબાદ તેઓ બંને મુંબઈ જતી વેળાએ રસ્તામાં યુવકને બાથરૂમ જવાનું બહાનું આપીને ત્યાંથી નાચી છુટી હતી. ત્યારે આ બાબતની યુવકને જાણ થતા યુવકના હોંશ ઉડી ગયા હતા.

યુવકને આ છેતરપિંડીના ભોગ બનિયાનું માલુમ થતાની સાથે જ તેમણે વરાછા પોલીસ મથકમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હાલમાં દલાલ સહીત ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *