ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

એક મહિના સુધી કોરોના સામે લડ્યા બાદ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું મોડી રાત્રે નિધન થયું છે. અગાઉ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની…

એક મહિના સુધી કોરોના સામે લડ્યા બાદ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું મોડી રાત્રે નિધન થયું છે. અગાઉ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોના ચેપને કારણે અવસાન થયું હતું. પદ્મશ્રી મિલ્ખા સિંહ 91 વર્ષના હતા.તેમના બાદ તેમના પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અને ત્રણ પુત્રીઓ છે. તેમના પરિવારના સભ્ય એ કહ્યું કે તેમણે રાત્રે 11:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

સાંજથી જ તેમની હાલત કથળી હતી અને તાવની સાથે ઓક્સિજન પણ ઓછું થઈ ગયું હતું. તેમને પીજીઆઇએમઇઆરના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા મહિને તેમને કોરોના થયો હતો જો જે ૨ દિવસ અગાઉ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તેમને જનરલ આઈસીયુ ખસેડાયા હતા. ગુરુવારે સાંજ પહેલા તેની હાલત સ્થિર થઈ ગઈ હતી.

તેમની પત્ની 85 વર્ષીય નિર્મલનું રવિવારે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મિલ્ખાએ 1958 કોમનવેલ્થ ગેમ્સમાં યલો મેડલ પણ જીત્યો હતો. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 1960 ની રોમ ઓલિમ્પિક્સમાં હતું જેમાં 400 મીટરની ફાઇનલમાં તેમણે ચોથું સ્થાન મેળવ્યું હતું. તેમણે 1956 અને 1964 ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1959 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહના નિધન પર દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતે આવા મહાન ખેલાડી ગુમાવ્યા છે, જેમનું જીવન ઉભરતા ખેલૈયાઓને પ્રેરણારૂપ બનાવશે. લગભગ એક મહિના સુધી કોરોના ચેપ સામે લડ્યા બાદ મિલ્ખા સિંઘનું ૧૮/૬/૨૦૨૧ ના રોજ ચંદીગઢના પીજીઆઈએમઆર ખાતે નિધન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *