ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય હજી પણ આ પ્રચલિત મંદિરમાં ધબકે છે, દર 12 વર્ષે આ પ્રકારનો થાય છે બદલાવ

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો મોટાભાગનો જીવન દ્વારકા અને મથુરામાં વિતાવ્યો હતો. તેની લીલાઓ અહીંની શેરી સાથે હાલ પણ જીવંત હોય તેવું લાગી રહું છે, પરંતુ આ સિવાય પણ એક એવીજગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનું હૃદય હજી હાજર છે. આ મંદિર સાથે સંકળાયેલી કૃષ્ણ લીલાઓ કોઈને વિચારવાની ફરજ પાડે છે. પુરીના આ જગન્નાથ મંદિરમાં ભાઈ બલદાઉ અને બહેન સુભદ્રા સાથે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા ઘણા રહસ્યો સમજણથી પરેય છે.

ત્યાં પવનની દિશા બદલાય છે
આ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો ચમત્કારિક છે. આ મંદિરની સામે આવીને પવનની દિશા બદલાઇ જાય છે, જેથી નજીકમાં ફરતા દરિયાના મોજાઓનો અવાજ મંદિરની અંદર ન જઇ શકે. પ્રવેશદ્વારથી એક પગથિયું અંદર આવતા જ સમુદ્રનો અવાજ અટકી જાય છે. એટલું જ નહીં, મંદિરનો ધ્વજ જે દરરોજ બદલાતો રહે છે તે હંમેશા પવનથી વિરુદ્ધ દિશામાં ફરે છે.

ભગવાનનું હૃદય મંદિરમાં ધબકે છે
એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમના શરીરનો ત્યાગ કર્યો, ત્યારે અંતિમ વિધિઓ પછી, તેમનું આખું શરીર પંચ તત્વોમાં ભળી ગયું, પરંતુ હૃદય સામાન્ય મનુષ્યની જેમ ધબકતું રહ્યું. તે આજે પણ જગન્નાથ મંદિરની મૂર્તિમાં હાજર છે. ભગવાનના આ હૃદય ભાગને બ્રહ્મા પદાર્થ કહેવામાં આવે છે. જ્યારે દર 12 વર્ષે જગન્નાથજીની મૂર્તિ બદલવામાં આવે છે, ત્યારે આ બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિ મૂકવામાં આવે છે. જો કે આમ કરતી વખતે ખૂબ કાળજી લેવામાં આવે છે.

જે દિવસે નવી મૂર્તિમાં બ્રહ્મ પદાર્થ મૂકવામાં આવે છે તે દિવસે આખું પુરી શહેર કાળું થઇ જાય છે. એક પણ દીવો સમગ્ર શહેરમાં ક્યાંય પ્રગટાવવામાં આવતો નથી. મૂર્તિ બદલતી વખતે પુજારીની આંખો માં પણ પાટો બાંધવામાં આવે છે. આજ સુધી કોઈએ આ પ્રક્રિયા જોઈ નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ તેને જોશે, તો તે તરત જ મરી જશે. મળતી માહિતી મુજબ, બ્રહ્મ પદાર્થને જૂનીથી નવી મૂર્તિમાં રાખનારા પૂજારી કહે છે કે બ્રહ્મ પદાર્થને હાથમાં લેતી વખતે એવું અનુભવાય છે કે, જાણે કોઈ જીવંત સસલું હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *