‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ અંગે નાના પાટેકરનું ચોંકાવનારૂ નિવેદન- બોલીવુડ જગતમાં મચ્યો ખળભળાટ

મનોરંજન(Entertainment): વિવેક અગ્નિહોત્રી(Vivek Agnihotri)ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files)’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે ત્યારે આ ફિલ્મ વિવાદોમાં પણ છે. ફિલ્મ પર પ્રોપોગેંડા ફેલાવવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની વાત કરે છે, પરંતુ એકતરફી કહાની કહીને અલગ વાતાવરણ ઊભું કરી રહી છે. નાના પાટેકરે(Nana Patekar) આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નાના પાટેકરે કહ્યું કે દેશમાં શાંતિનું વાતાવરણ છે. અહીં તમામ ધર્મના લોકો સાથે રહે છે, તેથી બિનજરૂરી હંગામો કરવો યોગ્ય નથી. આટલું જ નહીં, નાના પાટેકરે સરળ શબ્દોમાં કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે અને આ રીતે સમાજ વચ્ચે તિરાડ પાડવી યોગ્ય નથી.

દેશમાં દરેક લોકો શાંતિથી રહે છેઃ નાના પાટેકર
સમાજની મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહેતા પીઢ અભિનેતા નાના પાટેકરે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. નાના પાટેકરે કહ્યું કે ફિલ્મ બનાવીને અને બતાવીને બિનજરૂરી વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. તેમનું કહેવું છે કે દેશમાં હિંદુ અને મુસ્લિમ બંને શાંતિથી જીવી રહ્યા છે. બંને ધર્મના લોકો અહીંના રહેવાસી છે. આવી સ્થિતિમાં માહોલ ખરાબ કરવા જેવું છે.

‘ફિલ્મ જોયા પછી સમાજનું વિભાજન થશે’
નાના પાટેકરે કહ્યું, ‘ભારતના હિંદુ અને મુસ્લિમો આ દેશના રહેવાસી છે. બંને સમુદાયો શાંતિ અને સૌહાર્દથી રહે તે જરૂરી છે. બંને સમુદાયને એકબીજાની જરૂર છે. બંને સમાજમાં એકબીજા વગર રહી શકતા નથી. આવી સ્થિતિમાં કોઈ એક ફિલ્મના કારણે વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. જ્યારે તમામ લોકો શાંતિથી જીવી રહ્યા છે ત્યારે આવો હંગામો કરવો યોગ્ય નથી. જેઓ આવું કરી રહ્યા છે તેમને જવાબ માંગવો જોઈએ. ફિલ્મ જોયા પછી સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે, સમાજમાં આવો તિરાડ ઉભો કરવો યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *