Gadhiya Ghat Mata Temple: આ વિશ્વમાં ચમત્કારોની કોઈ કમી નથી. આપણે વિશ્વમાં એવા ઘણા ચમત્કારો જોયા હશે જેનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ખાસ કરીને મંદિરોથી સબંધિત આવા ઘણા ચમત્કારો હોય છે. જો સૂચિ બનાવવામાં આવે તો બહુ જ લાંબી સૂચિ (Gadhiya Ghat Mata Temple) તૈયાથઈ શકે છે. ત્યાં ચોક્કસપણે કેટલાક ચમત્કાર થાય છે જે દરેક મંદિરમાં થાય છે. આજે અમે તમને એવા જ ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક મંદિર છે જેમાં દીવો પ્રગટાવવા માટે તેલના બદલે પાણીની જરૂર પડે છે. શું તમને પણ વિચારવાની જરૂર પડી ? તો ચાલો તમને આ મંદિર વિશે જણાવીએ.
રહસ્ય એ છે કે, માતા ભવાનીનું આ મંદિર છે. ભારતના રહસ્યમય મંદિરોની લાંબી સૂચિ છે. તેના રહસ્યોમાંથી હજુ સુધી પડદો ઉઠાવવામાં આવ્યો નથી. વૈજ્ઞાનિકો પણ આ મંદિરોની સામે નમી ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિરમાં સળગતી જ્યોત ઘી થી નહિ પણ પાણીથી બળે છે. તો ચાલો જાણીએ આ મંદિર ક્યાં છે અને આ જ્યોતનું રહસ્ય શું છે ?
મંદિરની લોક વાયકાઓ
અમે જે મંદિરનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તે મધ્યપ્રદેશમાં છે. આ મંદિર કાલી સિંધ નદીના કાઠે અગર-માલવાના નાલખેડા ગામથી લગભગ 15 કિલો મીટર દુર ગાડીયા ગામની નજીક સ્થિત છે. તે મંદિર ગડિયાઘાટ વાળી માતાજી તરીકે જાણીતું છે. મંદિરના પૂજારીઓ જણાવે છે કે, અગાઉ અહીં હંમેશા તેલના દીવા પ્રગટાવાતા હતા, પરંતુ લગભગ પાંચ વર્ષ પહેલા માતાજી તેમને સ્વપ્નમાં દેખાયા અને પાણીથી દીવા પ્રગટાવવા કહ્યું.
દીવામાં પાણી નાખીને જ્યોત સળગાવી
આ પછી પુજારી સવારે જાગ્યા ત્યારે તેને નજીકની કાલી સિંધ નદી માંથી પાણી ભર્યું અને તેને દીવામાં નાખ્યું. દીવામાં રાખેલી રૂની વાટને સળગવામાં આવી કે તરત જ તે દીવાની જ્યોત સળગવા લાગી. આ જોઈને પુજારી પોતે ડરી ગયા અને બે મહિના સુધી તેઓ એ આ વિશે કોઈને કંઈ કહ્યું નહિ. બાદમાં જ્યારે તેમણે કેટલાક ગ્રામજનોને આ વિશે જણાવ્યું ત્યારે ગામ લોકો એ પણ પહેલા માન્યું નહિ, પણ જ્યારે તેને દીવામાં પાણી નાખીને જ્યોત સળગાવી ત્યારે જ્યોત સળગી ગઈ અને પાણીથી દીવા પ્રગટાવવાની પ્રથા શરૂ કરી.
અનોખી જ્યોત વરસાદમાં પણ પ્રજ્વલિત રહે છે
કહેવાય છે કે, તે પછી આ ચમત્કારની ચર્ચા ગામમાં ફેલાઈ ગઈ. ત્યારથી આ મંદિરમાં ફક્ત કાલી સિંધ નદીના જળથી દીવા પ્રગટાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જ્યારે દીવામાં પાણી રેડવામાં આવે છે, ત્યારે તે ચીકણું પ્રવાહીમાં ફેરવાય છે અને દીવો બળી જાય છે. આ અનોખી જ્યોત વરસાદમાં બળતી નથી.
મંદિરમાં છેલ્લા 550 વર્ષોથી અખંડ જ્યોત ચાલુ છે
કાલી સિંધ નદીનું પાણીનું સ્તર વરસાદી માહોલ દરમિયાન વધે છે, આ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે અહીં પૂજા શક્ય નથી. જો કે શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે ઘટસ્થાપના સાથે જ્યોત ફરી સળગાવામાં આવે છે, જે આવતા વર્ષે વરસાદી મોસમ સુધી પ્રગટેલી રહે છે.આ મંદિરમાં છેલ્લા 550 વર્ષોથી અખંડ જ્યોત ચાલુ છે. આ જ્યોતની વિશેષ બાબત એ છે કે, તેમાંથી કેસર ટપકે છે. આ સામાન્ય રીતે જોવા મળે છે કે, જ્યારે પણ દીવો સળગાવાય છે, ત્યારે કાળો પદાર્થ તેમાંથી બહાર આવે છે પણ આ મંદિરમાં દીવામાંથી કેસર નીકળે છે જેને ભક્તો તેમની આંખોમાં મુકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App