મંદિરમાં રહેતી સગીરાનું અપહરણ કરી એકસાથે ત્રણ નરાધમોએ પીંખી નાખી- જાણો કયાની છે હચમચાવતી ઘટના

રાજસ્થાન: ભીલવાડાના મંડલ વિસ્તારમાં બુધવારે એક 16 વર્ષની છોકરી પર સામુહિક બળાત્કાર થયો હતો. પીડિતા તેના નાની સાથે ગામના એક મંદિરમાં રહેતી હતી. મંગળવારે તેના…

રાજસ્થાન: ભીલવાડાના મંડલ વિસ્તારમાં બુધવારે એક 16 વર્ષની છોકરી પર સામુહિક બળાત્કાર થયો હતો. પીડિતા તેના નાની સાથે ગામના એક મંદિરમાં રહેતી હતી. મંગળવારે તેના વિસ્તારના જ ત્રણ બદમાશોએ તેને ઝડપી લીધી હતી. ત્યારબાદ તેને મંદિરની પાછળના જંગલમાં લઈ ગયા બાદ તેણે સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. રાત્રે બદમાશો તેને બેભાન હાલતમાં છોડીને ભાગી ગયા હતા. પોલીસે બુધવારે સવારે 3 લોકોની અટકાયત કરી છે.

માંડલ પોલીસના જણાવ્યા અનુસાર, 6 દિવસ પહેલા ગામમાં રહેતી પીડિતાના નાનીની તબિયત બગડી હતી. આ કારણે તે પોતાની નાની સાથે મંદિરમાં રહેવા ગઈ હતી. ગામમાં એવી માન્યતા છે કે, જ્યારે બીમાર પડે ત્યારે મંદિરમાં રહેવાથી તબિયત સારી થઇ જાય છે. બંને લોકો મંદિરના પરિસરમાં ખુલ્લામાં રહેતા હતા. મંગળવારે સાંજે ત્રણ બદમાશોએ તેનું અપહરણ કર્યું હતું. તેઓએ તેને રાતે ત્યાં છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ, જ્યારે છોકરી ભાનમાં આવી, ત્યારે તેની નાનીને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. માહિતી મળતા જ બાળકના સંબંધીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.

પોલીસે આ કેસમાં રિપોર્ટ નોંધ્યો છે અને પીડિતાનું મેડિકલ કરાવ્યું છે. આ કેસમાં પોલીસે મંદિરમાં જ પેઇન્ટ વર્ક કરતા ત્રણ યુવકોની અટકાયત પણ કરી છે. આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા હજુ પૂછપરછ શરુ છે. પીડિતાના માતા -પિતા બંને મૃત્યુ પામ્યા છે. જોકે, તેના માતા -પિતાનું ક્યારે મૃત્યુ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દિવસોમાં છોકરી તેના મામાના ઘરે રહેતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *