છ વર્ષની દીકરી સાથે માતાએ કાંકરિયામાં ઝંપલાવ્યું, મરતા પહેલા પરિવારજનોને કહ્યા હતા આ છેલ્લા શબ્દો

અમદાવાદ(Ahmedabad): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાની 6…

અમદાવાદ(Ahmedabad): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાની 6 વર્ષીય માસુમ દીકરી સાથે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરણિતા ઘરેથી શાક લેવાનું કહીને નીકળી હતી અને તે તેની 6 વર્ષીય દીકરીને સાથે લઈને ગઈ હતી. આ દરમિયાન નરોડાના કાંકરિયા તળાવમાં તેણે તેની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે હજુ સુધી પરણિતાએ તેની દીકરી સાથે આપઘાત કેમ કર્યો તેનું કારણ સામે આવ્યુ નથી. જો કે, હાલ તો પ્રાથમિક તારણ ઘરકંકાસની શંકા છે.

જાણવા મળ્યું છે કે, 27 વર્ષીય ભારતીબેન મોદી અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા હતા. તેઓ તેમની 6 વર્ષિય દીકરી જિયા સાથે શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા હતા અને તે બાદ તેઓએ નરોડાના કાંકરિયા તળાવ પાસે જઈને 11 વાગ્યા આસપાસ મોતની છલાંગ લગાવી હતી. નરોડા પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી તો બંનેના મોત થઈ ચૂક્યા હતા. પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને પરિવારને જાણ કરી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *