પતિને મેરેજ એનીવર્સરી યાદ ન રહી તો પત્નીએ કરી નાખ્યો કાંડ અને પતિની જિંદગી થઇ ગઈ…

દિલ્હીમાં એક મહિલાના મૃત્યુનો મામલો પોલીસ માટે કોયડો બની ગયો છે. જ્યાં એક વિવાહિત મહિલાએ પોતાના લગ્નની બીજી એનિવર્સરી ઉપર એટલા માટે આત્મહત્યા કરી લીધી…

દિલ્હીમાં એક મહિલાના મૃત્યુનો મામલો પોલીસ માટે કોયડો બની ગયો છે. જ્યાં એક વિવાહિત મહિલાએ પોતાના લગ્નની બીજી એનિવર્સરી ઉપર એટલા માટે આત્મહત્યા કરી લીધી કારણ કે તેના પતિએ તેને વિશ કર્યું નહીં.જોકે છોકરીના પરિવારનો આરોપ છે કે તેની દિકરીને સાસરીયા વાળાએ દહેજ માટે તેની દીકરીની હત્યા કરી છે. પોલીસ દરેક દ્રષ્ટિકોણથી આ ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટના ઉત્તર-પૂર્વી દિલ્હીના સરોવર પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંયા રહેતા અંકુરના લગ્ન બે વર્ષ પહેલા આકાંક્ષા નામની યુવતી સાથે થયા હતા. અંકુર એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. તેમજ આકાંક્ષા સરકારી શિક્ષક હતી. અંકુરના ઘર વાળા નું કહેવું છે કે 11 મેના રોજ તેમના લગ્નની એનિવર્સરી હતી.પ રંતુ અંકુરે આકાંક્ષાને લગ્નની એનિવર્સરી નિમિત્તે શુભેચ્છા આપી નહોતી. આ વાતથી ગુસ્સે થઈ તેણે આત્મહત્યા કરી લીધી.

જ્યારે આકાંક્ષાના પરિવારજનો આરોપ છે કે તેમની દીકરીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસને ઘટના સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. ઘટનાની ગંભીરતાને જોતા આ મામલાની તપાસ વિસ્તારના એસડીએમ કરી રહ્યા છે. પંચનામાની કાર્યવાહી બાદ આકાંક્ષાનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *