ટ્રેન માથે જીવતો સળગ્યો યુવક- હિંમતવાળા જોજો વિચલિત કરતો ઘટનાનો LIVE વિડીયો

કાસગંજ રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનની છત પર એક યુવક જીવતો સળગી ગયો હતો. યુવક ટ્રેનની છત પર લાંબા સમય સુધી સળગતો રહ્યો. તેને…

કાસગંજ રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનની છત પર એક યુવક જીવતો સળગી ગયો હતો. યુવક ટ્રેનની છત પર લાંબા સમય સુધી સળગતો રહ્યો. તેને સળગતી જોઈને પાવર લાઈન બંધ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ આગ બુઝાવી તેને નીચે લાવવામાં આવ્યો. અકસ્માત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2નો છે. આ ઘટનાનો વિચલિત કરતો વીડિયો પણ સામે આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે વાંદરો એક મહિલા મુસાફરના ચપ્પલ લઈને ટ્રેનની બોગી પર ચઢી ગયો હતો. યુવક તેના ચપ્પલ ઉતારવા બોગી ઉપર ચઢ્યો હતો. પાવર લાઈનને અડતા યુવકને જોરદાર કરંટ લાગ્યો અને જીવતો સળગવા લાગ્યો. બોગી પર યુવાનને જીવતો સળગતો જોઈ મુસાફરો ગભરાઈ ગયા હતા. પાવર કરંટ બંધ થયો ત્યાં સુધી યુવક લગભગ 15 મિનિટ સુધી સળગતો રહ્યો. આગ ઓલવ્યા બાદ યુવકની દાઝી ગયેલી લાશને નીચે લાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, કાસગંજથી ફરુખાબાદ જતી એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 પર ઉભી હતી. આ દરમિયાન વાંદરો મહિલા મુસાફરનું ચંપલ લઈને ભાગી ગયો હતો. વાંદરો ચપ્પલ લઈને ટ્રેનની બોગી પર ચઢી ગયો. જ્યારે મુસાફરોએ અવાજ કર્યો ત્યારે વાંદરો ચંપલ બોગીની ઉપર છોડીને ભાગી ગયો. આ દરમિયાન કાસગંજ સ્ટેશન પર કામ કરતા વિક્રેતા અશોક મહિલાના ચપ્પલ ઉતારવા માટે બોગી પર ચઢ્યો. ત્યારે તે પાવર લાઈનને અડી ગયો હતો. જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું – યુવક બચવા માટે બૂમો પાડતો રહ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવક બૂમો પાડતો રહ્યો પરંતુ તે પોતાની જાતને બચાવી શક્યો નહીં. વીજ પુરવઠો બંધ થયાની માહિતી મળતાં રેલવે અધિકારીઓએ ફાયર ફાઇટીંગ ઇક્વિપમેન્ટ વડે આગને કાબુમાં લીધી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મોતની જાણ થતાં જ પરિવારજનો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો હતો.

સ્ટેશન મેનેજર મનોજ શર્માએ જણાવ્યું કે, વાંદરા પાસેથી ચપ્પલ છોડાવવા માટે યુવક ટ્રેનની બોગી પર ચડ્યો અને પાવર લાઈનને અડી ગયો. જેના કારણે યુવક દાઝી ગયો હતો અને મૃત્યુ પામ્યો. પાવર પુરવઠો બંધ કરીને યુવકની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ કાનપુરથી કાસગંજ જતી ટ્રેન નંબર 15037ને અકસ્માત બાદ વીજ પુરવઠો બંધ થવાને કારણે બગરી કલા સ્ટેશન પાસે રોકી દેવામાં આવી હતી. આ ટ્રેન લગભગ 35 મિનિટ સુધી ઊભી રહી. વીજ પુરવઠો પૂર્વવત થયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *