નટુકાકા બાદ વધુ એક તારક મહેતાના અભિનેતાએ 40 વર્ષની ઉંમરે કહ્યું દુનિયાને અલવિદા- આ ગંભીર બીમારીથી…

ટીવી જગતમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) ફેમ અભિનેતા સુનીલ હોલકરે (Sunil Holkar)…

ટીવી જગતમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) ફેમ અભિનેતા સુનીલ હોલકરે (Sunil Holkar) આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતા માત્ર 40 વર્ષનો હતો. 13 જાન્યુઆરીએ તેમનું અવસાન થયું. તેના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને બે બાળકો છે.

તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘ગોશ્ત એક પૈઠાની’માં કામ કર્યું હતું. સુનીલ નાટક, ફિલ્મો અને ટીવી શો એમ ત્રણેય માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરતો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુનીલ છેલ્લા કેટલાક દિવસોથી લીવર સોરાયસીસથી પીડિત હતો. તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ, અચાનક તેણે આ દુનિયા છોડી દીધી. આટલી નાની ઉંમરમાં અભિનેતાના અવસાનથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.

જો આપણે સુનીલ હોલકરની અભિનય યાત્રા વિશે વાત કરીએ, તો અભિનેતાએ ઘણા વર્ષો સુધી અશોક હાંડેની ચૌરાંગ નાટ્ય સંસ્થામાં કામ કર્યું. સુનીલ હંમેશા એક્ટર અને સ્ટોરીટેલર તરીકે ઓળખાય છે. તેણે 12 વર્ષથી વધુ સમય સુધી થિયેટર કર્યું.

માત્ર 40 વર્ષની વયે તેમની વિદાય એ કલાજગત માટે મોટી ખોટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ હોલકરને કદાચ પહેલા જ તેમના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે છેલ્લો સંદેશ એક મિત્રને મોકલ્યો હતો, જેમાં તેનો ઉલ્લેખ હતો.

તેણે વોટ્સએપ પર મોકલેલા મેસેજમાં મિત્રને કહ્યું હતું કે આ તેની છેલ્લી પોસ્ટ છે. તે દરેકને અલવિદા કહેવા માંગતો હતો અને તેને મળેલા પ્રેમ માટે દરેકનો આભાર માનું હતું. તેમજ સુનીલ પોતાની ભૂલો માટે માફી માંગવા માંગતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *