ભાજપની આ મહિલા નેતાએ બળાત્કારીઓના એન્કાઉન્ટર ઉપર ઉઠાવ્યા સવાલ

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા મામલે ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. પોલીસની આ કામગીરીને આખા દેશમાં સામાન્ય જનતા દ્વારા બિરદાવવામાં…

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા મામલે ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. પોલીસની આ કામગીરીને આખા દેશમાં સામાન્ય જનતા દ્વારા બિરદાવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જાણીતી હસ્તીઓમાં આ કાર્યવાહીને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. હૈદરાબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર પર હવે કેટલાક નેતાઓ દ્વારા સવાલો પણ ઉભા કરવામાં આવ્યા છે, આ લિસ્ટમાં બીજેપીના દિગ્ગજ નેતા મેનકા ગાંધી પણ સામેલ છે.

મેનકા ગાંધીએ કહ્યું કે, હૈદરાબાદમાં જે થયું તે યોગ્ય નથી. એન્કાઉન્ટર આ પ્રકારની સમસ્યાનું સમાધાન નથી. મેનકા ગાંધીએ કહ્યું કે, આરોપીઓને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત સજા મળવી જોઈએ. સાથે જ આરોપીઓ જેલમાં બંધ હોય તો કેવી રીતે ભાગી શકે તેવા સવાલો પણ કર્યા હતા.


મેનકા ગાંધીએ કાયદો હાથમાં લેવાની જરૂર ન હતી તેમ કહી દોષિતોને ફાંસીની સજા મળત તેવી પ્રતિક્રિયા આપી છે. આ મહિલા નેતાએ બળાત્તોકારીઓના એન્કુન્ત્ર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હૈદરાબાદ અને ઉન્નાવની ઘટનાન કારણે હાલ જે એન્કાઉન્ટર થયું તેના પર લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે પરંતુ તેનાથી જસ્ટિસ સિસ્ટમ પર પણ સવાલો થઈ રહ્યાં છે. લોકોનો એજન્સીઓ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. એવામાં સમાજને ચિંતન કરી સરકારે એકશન લેવાની જરૂર છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા મેનકા ગાંધીએ સવાલો ઉભા કર્યા, કહ્યું કે, આ દેશ માટે બહુજ ખતરનાક છે. જો કાયદા પ્રમાણે સજાની જોગવાઇ છે તો બંદૂક ચલાવવી યોગ્ય નથી.

જાણો મેનકા ગાંધીએ શું કહ્યું…..

મેનકા ગાંધીએ કહ્યું કે, ‘આ દેશ માટે બહુજ ખતરનાક છે, તેમને કહ્યું કે ‘આ કેસમાં મોડુ થઇ રહ્યું હતું તો શું આપણે બધાનો બંદૂક લઇને મારી નાંખીશું.’ આપણા દેશમાં કાયદો છે, કોર્ટ છે, લોકો છે. કાયદા પ્રમાણે સજા આપવા માટે લોકો છે તો પહેલા બંદૂક ચલાવીને કેમ મારી રહ્યાં છો.’

પોલીસ અનુસાર, જ્યારે ઘટનાનુ રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે દુષ્કર્મના ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી ને અંતે પોલીસે ચારેયને ઠાર માર્યા હતા. પોલીસ કમિશનર વીસી સજ્જનારે કહ્યું કે, આજે સવારે 3 થી 6 વાગ્યની વચ્ચે ચંદનપલ્લી, શાદનગરમાં ચારેય આરોપી મોહમ્મદ આરિફ, નવિન, શિવા અને ચેન્નેકશવુલુ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *