વડતાલના આ કુકર્મી સાધુએ ભગવો લજવ્યો: મહિલાને લઈ ભાગી જતાં ખળભળાટ

છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર વડતાલ મંદિર વિવાદોમાં આવતું રહે છે ત્યારે આજે ફરી એક વખત મંદિર વિવાદોમાં આવ્યું છે. સાધુએ ફરીવાર ભગવો લજવ્યો હોવાની ઘટના સામે આવી છે. વડતાલ ગામની પરિણીતાને લઈને મંદિરના સ્વામી આધારસ્વરૂપ ગુરુસ્વામી હરિવલ્લભદાસજી જેમની ઉંમર 58 વર્ષ છે. તે 8 ફેબ્રુઆરીના રોજ ભાગી જતાં વ્યથિત બનેલા પરિણીતાના પતિ દ્વારા ગૃહ મંત્રાલયે પત્ર લખીને આ મુદ્દે ન્યાયની માંગ કરવામાં આવી છે.

જે મુજબ તેની પતિ 8 ફેબ્રુઆરીએ બપોરે  1:30 વાગ્યે ગુમ થતાં પરિચિતોમાં તપાસ કરતાં કોઈ જાણ થઇ નહોતી. આધારસ્વામી પત્નિને લઈને ભાગી ગયો હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના ચકલાસી પોલીસમથકે 10 ફેબ્રુઆરીએ ગુમન થયાની જાણવા જોગ અરજી આપી હતી.

ત્યારબાદ તેને જાણ થઈ કે, પત્નીને મંદિરના કોઠારનો વહીવટ કરતાં સ્વામી આધારસ્વરૂપ ગુરુસ્વામી હરિવલ્લભદાસજી પૈસાની લાલચ આપી મોહજાળમાં ફસાવી ફરાર થઈ ગયો હોવાના આરોપ સાથે રજુઆત કરી છે.  આ ઉપરાંત હવસ સંતોષ્યા બાદ પત્નિને જાનથી મારી નાંખીને લાશ પણ ઠેકાણે પડી દેશે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગે આધારસ્વામીના ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં ફોન બંધ આવતો હતો. ચકલાસીના પીએસઆઈ જીગર પટેલે કહ્યું કે, મંદિરના કોઇ સ્વામી મહિલાને ભગાડી ગયાની અરજી મળી નથી ફક્ત મહિલાના પરિવારજનોની રજૂઆતના આધારે ગુમ કે ખોવાયાની નોંધ કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *