મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર ઉપર કન્ટેનર પડતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત

મોરબીમાં અણિયારી ચોકડી જાણે મોતનું ડેસ્ટિનેશન બની ગયુ હોય તેમ ત્યાં અવારનવાર વાયુવેગે આવતા ટ્રક અને કન્ટેનરોના એક્સિડન્ટ સર્જાય છે અને અનેક લોકો અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ છે.

હાલ જ એક અકસ્માત થયો છે. આ અકસ્માત જોઇ લોકોમાં ચર્ચા છે કે, મોત ક્યાંય લેવા જવું પડતુ નથી, ત્રણે યુવાનો મોતને એવી રીતે ભેટ્યા છે કે લોકોમાં કંપારી છૂટી ગઇ છે. મોરબીમાં એક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. અણિયારી ચોકડી પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા એક કારમાં સવાર ત્રણ યુવાનો મોતને ભેટ્યા છે. આ અકસ્માતની ચોંકાવનારી વાત એ છે કે, આખું કન્ટેનર એટલી સ્પિડમાં હતું કે, કન્ટેનર અચાનક કાર પર પડી ગયુ હતું અને કાર જાણે પડીકું બની ગયુ હતું.

આ અકસ્માત એટલો દર્દનાક હતો કે, કારમાં રહેલા ત્રણે યુવાનોના મૃતદેહને બહાર નિકાળવા માટે કારના પતરાને કાપવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા અને માળીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કારના પતરા કાપીને ત્રણ લાશ બહાર કાઢવા માટે સખત મહેનત કરી હતી. હાલમાં ત્રણે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મૃતક યુવાનો મોરબીના રવાપર રોડના રહેવાસીઓ હતા. આ અકસ્માતમાં રવાપર ગામમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ ચાડમિયા, બેચરભાઈ નારણભાઈ ચાડમિયા અને ખાખરેચી ગામના ગૌતમ ચંદુભાઈ સંતોકીનું ઘટનાસ્થળે કારમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *