ટોચના ડોક્ટરોએ કર્યો મોટો દાવો: કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવી અશક્ય છે, પરંતુ આ બે ઉપાયથી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે ત્રીજી લહેરની ઘંટડી વાગી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે INSACOG કમિટીના ડોક્ટર એન.કે આરોરાએ મોટો દાવો કર્યો છે. ડોક્ટર એન.કે આરોરાએ ત્રીજી લહેરને લઈને મોટો દાવો કર્યો છે કે, ત્રીજી લહેરને આવતી અટકાવી અશક્ય છે પરંતુ આપણે સાવચેતીને લઈને આ પગલા જરૂર ભરવા જોઈએ.

INSACOG કમિટીના ડોક્ટર એન.કે આરોરાએ કહ્યું છે કે, વધારેમાં વધારે રસીકરણ કરવામાં આવે અને કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે જેને લઈને ત્રીજી લહેરના રોકી શકાય એમ છે. સાથે તેમણે કહ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટ ખુબ જ ઝડપથી ફેલાય છે. આ પહેલા આવેલા વેરિયન્ટની તુલનામાં લગભગ 40 ટકા થી 60 ટકા વધારે ઝડપથી ફેલાય છે. મ્યુટેશનને કારણે માનવી પર વધુ ઝડપથી હુમલો કરે છે. ડેલ્ટા વેરિયન્ટની વધુ અસર ફેફસા પર વધારે પડે છે.

ડોક્ટર એન.કે આરોરાએ કહ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટ અને B.1.617.2 દેશમાં કોરોનાના નવા કેસોમાં 80 ટકા વધારે કેસ જોવા મળ્યા છે. દેશના 12 રાજ્યોમાંથી લગભગ 60 જેટલા કેસો ડેલ્ટા વેરિયન્ટના સામે આવ્યાં છે. દેશમાં 11 એપ્રિલ 2021 ના રોજ પ્રથમ વાર તેની ઓળખ થઈ હતી. આ કોરોનાના નવા વેરિયન્ટથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઇ ચુક્યા છે. જેમાંથી એક પણ વ્યક્તિએ વેક્સીન લીધી નહોતી.

કોરોનાની ત્રીજી લહેર નવા વેરિયન્ટ પર નિર્ભર છે. ઓછા રસીકરણને કારણે સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. ડોક્ટર એન.કે આરોરાએ કહ્યું છે કે, કોરોના આપણા સૌની નજીક જ છે. બીજી લહેર હજુ પૂર્ણ થઇ નથી. ત્યારે હવે લોકો ત્રીજી લહેરથી સંક્રમિત થઇ રહ્યા છે, વધારેમાં વધારે લોકોને જો વેક્સીન મળી શકે તો ત્રીજી લહેર ઘાતકી સાબિત થઇ શકે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *