અમરેલી જિલ્લામાં ટ્રક ચાલકે 70 ઘેટાંને અડફેટે લેતા 22ને કચડી માર્યા, હાઈવે લોહીલુહાણ – જુઓ ભયંકર દ્રશ્યો

હાલમાં અમરેલી જિલ્લાના બાબરાના ચરખા ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા 70 જેટલા ઘેટાંઓને ટ્રક ચાલકે અડફેટે લઇ લીધા હતા. જેમાંથી 22 જેટલા ઘેટાંના ત્યાં જ મૃત્યુ થયા હતા જ્યારે 12 જેટલા ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક ચાલકે ઘેટાં અડફેટે લેતા ઘણાં લોકો ભેગા થયા હતા.

સમગ્ર ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. માલધારી સમાજે ઘેટાંના મોતમાં ટ્રક માલિક દ્વારા વળતર આપવામાં આવે તેવી માગ કરી છે. અમરેલી જિલ્લામાં આવેલા ભાવનગર-રાજકોટ હાઇવે પર બાબરાના ચરખા ગામે 70 જેટલા ઘેટાં રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. એ દરમિયાન રાજકોટ તરફથી ઝડપે આવતા ટ્રકે ઘેટાંઓને અડફેટે લીઇ લીધા અને 22 જેટલા ઘેટાંઓને કચડી નાખ્યા હતા.

ઘટનાની મળતી માહિતી અનુસાર,  મહેશ ભરવાડ ઘેટાંઓને ચરાવવા માટે લઇ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ઘેટાંઓના મોતથી માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો. ઘટના બાદ મોટી સંખ્યામાં માલધારી સમાજ સહિતના લોકો એકઠાં થયા હતા અને બેફામ ચલાવતા વાહનચાલકો સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બનાવ બાદ ઘેટાંના માલિક મહેશ ભરવાડે જણાવ્યું છે કે, હું ઘેટાં ચરાવવા માટે જઇ રહ્યો હતો ત્યારે ઝડપે આવતા ટ્રકે ઘેટાંઓને અડફેટે લીધા હતા. જેમાં 22 જેટલા ઘેટાંના મોત થયાં છે અને 12 ઘાયલ છે. ટ્રક માલિક સ્થળ પર આવે અને જે જાનમાલનું નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *