ફિલ્મ જગતમાં છવાયો માતમ- મોટા પડદાની ફિલ્મોમાં કામ કરતી એક્ટ્રેસે 20 વર્ષની ઉંમરે ટુકાવ્યું જીવન ‘ઓમ શાંતિ’

સોની સબ ટીવી સીરિયલ ‘અલીબાબાઃ દાસ્તાન એ કાબુલ’ની લીડ એક્ટ્રેસ તુનીષા શર્માએ આપઘાત કરી લીધી છે. આ પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ સિરિયલ (નાયગાંવ)ના સેટ પર ફાંસી…

સોની સબ ટીવી સીરિયલ ‘અલીબાબાઃ દાસ્તાન એ કાબુલ’ની લીડ એક્ટ્રેસ તુનીષા શર્માએ આપઘાત કરી લીધી છે. આ પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ સિરિયલ (નાયગાંવ)ના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. જોકે આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તુનીશા શર્મા માત્ર 20 વર્ષની જ હતી.

તુનિષાએ ઇન્ડસ્ટ્રીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તુનીશાએ ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ સાથે ટીવીમાં પ્રવેશ કર્યો હતો. સૂત્રોનું માનીએ તો સેટ પર હાજર લોકોએ તરત જ અભિનેત્રીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. હવે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભિવંડી (થાણે)ની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

હાલમાં, તુનીશા સોની સબ ટીવી સિરિયલ અલી બાબા: દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમની ભૂમિકા ભજવી રહી હતી. તુનિષા ફિતુર, બાર બાર દેખો, કહાની 2: દુર્ગા રાની સિંહ, દબંગ 3 જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તુનીષાએ ફિતુર અને બાર બાર દેખોમાં યુવા કેટરીના કૈફની ભૂમિકા ભજવી હતી. કલર્સ ટીવી પર તેની સીરિયલ ‘ઇન્ટરનેટ વાલા લવ’ લોકોને પસંદ પડી હતી.

ફિલ્મ જગત આઘાતમાં…
તુનિષા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. હંમેશા ખુશ રહેનારી અને સેટ પર દરેક સાથે ખૂબ જ મસ્તીથી વાત કરતી આ એક્ટ્રેસે આવું પગલું ભરીને બધાને ચોંકાવી દીધા છે. થોડા સમય પહેલા ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પણ આ રીતે આપઘાત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *