આપઘાત કે હત્યા? અભિનેત્રી તુનિષા શર્માનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો સામે…

અભિનેત્રી તુનીષા શર્મા(Tunisha Sharma)ના મોતને કારણે તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તુનિષાએ તેના શોના સેટ પર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. તુનિષાના મૃત્યુ…

અભિનેત્રી તુનીષા શર્મા(Tunisha Sharma)ના મોતને કારણે તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તુનિષાએ તેના શોના સેટ પર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. તુનિષાના મૃત્યુ બાદ મનોરંજનની દુનિયામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તુનીશાનું પોસ્ટમોર્ટમ મુંબઈની જેજે હોસ્પિટલમાં થયું હતું અને હવે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે.

તુનીશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?
20 વર્ષની નાની ઉંમરે તુનીશાએ શા માટે કર્યો આપઘાત? દરેક વ્યક્તિ આ સસ્પેન્સનો જવાબ જાણવા માંગે છે. આ મોટા સવાલ વચ્ચે હવે તુનીશાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તુનીશાનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું. ગળાફાંસો લગાવ્યા બાદ ગૂંગળામણને કારણે તુનીશાનું મોત થયું હતું. અભિનેત્રીના શરીર પર કોઈપણ પ્રકારના ઘાના નિશાન જોવા મળ્યા નથી.

તુનિષાના આપઘાતના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રી ગર્ભવતી હોવાની અફવાઓ વહેતી થઈ હતી, પરંતુ હાલ પોલીસ સૂત્રોએ પ્રેગ્નન્સીની વાતને ફગાવી દીધી છે.

તુનિષાએ મેકઅપ રૂમમાં આપઘાત કરી લીધો હતો:
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ શનિવારે તેના શોના સેટ પર આપઘાત કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના મિત્ર શીજાન ખાનના મેક-અપ રૂમમાં આપઘાત કરી લીધો. મોડી રાત્રે તુનિષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તુનીશાના પોસ્ટમોર્ટમ સમયે 4-5 ડોક્ટર હાજર હતા. પોસ્ટ મોર્ટમની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે.

આજે અંતિમ સંસ્કાર થશે
તુનીશાના અંતિમ સંસ્કારની માહિતી પણ સામે આવી છે. અભિનેત્રીના મૃતદેહને મીરા રોડ લાવવામાં આવશે. અહીં સાંજે 4-4.30 વાગ્યાની આસપાસ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તુનિષાના મિત્ર શીજાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે:
તુનીષાની માતાએ અભિનેત્રીના ખાસ મિત્ર શીજાન પર ગંભીર આરોપ લગાવ્યા છે, જે બાદ પોલીસે મોડી રાત્રે એફઆઈઆર નોંધીને શીજાન ખાનની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે શીજાન સામે કલમ 306 હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસ આ મામલે શીજાનની પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *