ગુજરાત માટે ગોઝારો બન્યો મંગળવાર: દાહોદ અને જાફરાબાદ અકસ્માતમાં 2 લોકોને ભરખી ગયો કાળ

Dahod Accident News: ગુજરાતમાં આજે બે માર્ગ અકસ્માતો બન્યા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. દાહોદના (Dahod Accident News) વડબારા હાઇવે પર એક કાર ચાલકે રાહદારીને ટક્કર મારીને ભાગી ગયો હતો, જેમાં આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય એક ઘટનામાં, અમરેલીના જાફરાબાદના નાગેશ્રી ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઉના તરફથી ઝડપથી આવી રહેલી કાર ચાલકે ટક્કર મારતાં ટુ વ્હીલર સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

દાહોદમાં અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં બે ગંભીર અકસ્માતો બન્યા. આમાં બે લોકોના મોત થયા છે. દાહોદના વડબારા હાઇવે પર એક કાર ચાલકે એક આધેડ વ્યક્તિને ટક્કર મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, જેના કારણે આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એક આધેડ વ્યક્તિનું મોત થયું. અન્ય એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જાફરાબાદમાં એક વ્યક્તિનું અકસ્માતમાં મોત
બીજા એક માર્ગ અકસ્માતમાં, સૌરાષ્ટ્રના જાફરાબાદના નાગેશ્રી ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉના તરફથી આવતી એક ઝડપી કારે ટુ વ્હીલર સવારને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી.